Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 41

background image
: ૩૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
છે, ને તેમાં ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. શ્રુતપંચમીના દિવસે ષટ્ખંડાગમની
મહાન શ્રુતયાત્રા નીકળી હતી. અગાઉ ચાર વખત મહાન શિક્ષણશિબિરોનું
આયોજન થઈ ગયું હતું, આ પાંચમી શિક્ષણશિબિર પણ ખૂબ પ્રભાવશાળી હતી.
અને હવે પછીની શિક્ષણશિબિર ગુજરાતમાં આવતા વર્ષે કરવાનું ભાઈશ્રી
બાબુભાઈએ જાહેર કર્યું છે. તેમજ મહારાષ્ટ્રમાં પણ શિક્ષણશિબિરનું આયોજન
દીવાળીની રજાઓ વખતે કરવાનું આયોજન ભાઈશ્રી ધન્યકુમારજી બેલોકર કરી
રહ્યા છે. શિક્ષણશિબિરો દ્વારા જે મહાન જ્ઞાનપ્રભાવના થઈ રહી છે – તેને માટે
સૌએ પૂ. ગુરુદેવનો ઉપકાર માન્યો છે.
* * * * *
વૈરાગ્ય સમાચાર –
* દહેગામના ભાઈશ્રી ભીખાલાલ મગનલાલ તા. ૪–૭–૭૩ ના રોજ સોનગઢ
(જીથરી અમરગઢ મુકામે) સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ
સોનગઢ રહેતા. સ્વર્ગવાસના થોડા જ વખત પહેલાંં પૂ. ગુરુદેવ તેમને દર્શન દેવા
પધાર્યા હતા, ને શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘનનું શ્રવણ કરાવ્યું હતું, તે તેમણે પ્રેમથી
સાંભળ્‌યું હતું. પૂ. બેનશ્રી–બેન પણ દર્શન દેવા પધાર્યા હતા.
* વઢવાણના સરોજબેન અમૃતલાલ દોશી તા. ૧૪–૪–૭૩ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
* જામનગરના સરોજબેન (તે અનિલકુમાર સી. પુનાતરના ધર્મપત્ની) તા. ૨૭–
૬–૭૩ ના રોજ પચીસ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે.
* વીંછીયાના રંભાબેન (તેઓ મુગટલાલ અમૃતલાલના માતુશ્રી ઉ. વર્ષ ૬પ) તા.
૧૬–૬–૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.