Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૫ :
વિવિધ સામાચાર:–
* સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યા છે. પ્રવચનમાં સવારે
નિયમસાર (નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર) અને બપોરે સમયસાર (સર્વવિશુદ્ધ
અધિકાર) વંચાય છે. પરમાગમ–મંદિરનું કામકાજ ચાલુ છે. આવતી સાલમાં
એટલે કે બરાબર વીરનિર્વાણ સંવત ૨પ૦૦ માં, પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન
કરવાનો વિચાર છે. તે ઉપરાંત પરમાગમ–મંદિરમાં ભગવાન મહાવીરપ્રભુની
એક મોટી પ્રતિમા પણ બિરાજમાન કરવાનું નકકી કર્યું છે, એટલે પંચકલ્યાણક–
પ્રતિષ્ઠાનો પણ ભવ્ય મહોત્સવ થશે. પ્રતિમાજી માટે જયપુર ઓર્ડર આપેલ છે.
પ્રતિમાજીની નીચેના ભાગમાં જાણે વીરનાથની વાણીનો પ્રવાહ ઝીલીને
કુંદકુંદાચાર્યદેવ સમયસારમાં ભરી રહ્યા છે – એવું દ્રશ્ય આરસમાં કોતરાશે. આ
રીતે ત્રણ શિખરયુક્ત પરમાગમ મંદિર વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રરૂપ રત્નત્રયથી
શોભી ઊઠશે. એ શોભા નીહાળવા મુમુક્ષુઓ આતૂર છે.
* આ વખતે શ્રાવણમાસનો શિક્ષણવર્ગ ચાલવાનો નથી. પરંતુ ધાર્મિક પ્રવચનના
આઠ દિવસો, તેમ જ દશલક્ષણી પર્વના દિવસો દરવર્ષની જેમ જ ઉજવાશે.
સોનગઢમાં બાળકોની પાઠશાળા સુંદર નિયમિત ચાલે છે.
* હિંદી जैनतत्त्वमीमांसा બીજી આવૃત્તિ છપાવવાની છે. જેમને જોઈતી હોય
તેઓએ પોતાનો ઓર્ડર અગાઉથી નોંધાવી દેવા સૂચના છે.
* જામનગરમાં સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ અષાડ સુદ બીજના દિવસે ત્યાંના
પ્રમુખશ્રી ખેતશીભાઈ પોપટભાઈના શુભ હસ્તે થયું છે.
* વિદિશા (મધ્યપ્રદેશ) માં ગતમાસમાં પ્રતિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન થયું
હતું. તેમાં અનેક વિદ્વાન ભાઈઓ આવ્યા હતા, ને હજારો જિજ્ઞાસુઓએ ખૂબ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બાલશિક્ષણવર્ગમાં પણ પ૦૦ જેટલા બાળકો
ભણતા હતા. – આ ઉપરથી બાળકોને મૂળથી જ ધર્મસંસ્કાર કેટલા જરૂરી છે
તેનો ખ્યાલ આવશે. બાળકોના ધર્મશિક્ષણ માટે હવે સૌરાષ્ટ્રે જાગવાની ખાસ
જરૂર છે. વિદિશામાં ૨૦ દિવસ સુધી જાણે જ્ઞાનનો મેળો ભરાયો હતો. સેંકડો
ધાર્મિકશિક્ષકો પણ તૈયાર થઈ રહ્યા છે; મધ્યપ્રદેશમાં ઠેરઠેર ધાર્મિક પાઠશાળાઓ
ચાલુ થઈ રહી