મહા ખેદખિન્ન થઈને તે ખેદમાં એકાકાર થઈ જાય, હર્ષ–શોકથી જુદા જ્ઞાનને ભૂલી જાય;
સંયોગ ફરતાં જાણે આત્મા જ ખોવાઈ ગયો! – એ તે કાંઈ વીતરાગના ભક્તને શોભે
નહીં, આત્માનું જ્ઞાન છોડીને તેને હર્ષ–શોક થાય નહીં; હર્ષ–શોકથી જ્ઞાન જુદું ને જુદું
રહે એટલે શાંતિનું વેદન રહે. ઘણા કહે છે કે “અરેરે! અમને ક્યાંય શાંતિ નથી! ’ –
પણ બાપુ! તું પોતાને વીતરાગનો ભક્ત અને જિનેશ્વરનો પુત્ર કહેવડાવે અને તને
શાંતિ કેમ નહીં? વિચાર તો ખરો! વીતરાગનો પુત્ર રાગના ફળમાં અટકે નહિ, એ તો
બંનેનો જ્ઞાતા રહીને, પોતાના જ્ઞાનની અપૂર્વ શાંતિને અનુભવે. હર્ષ – શોકથી પાર
આત્માના આનંદનો સ્વાદ તેણે ચાખ્યો છે.
જ્ઞાનરૂપ જ રહ્યો છો. સંયોગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને લક્ષમાં તો લે. તો તને સંયોગમાં
હર્ષ–શોકની બુદ્ધિ છૂટી જશે, ને જ્ઞાનની ભાવનાથી અપૂર્વ શાંતિનું વેદન થતાં સંસારના
જન્મ–મરણના ફંદા મટી જશે. માટે ભેદજ્ઞાન કરીને આવી જ્ઞાનભાવના નિરંતર કરવી –
તે જ જગતમાં સાર છે. તે જ આત્માની સાચી સંપદા છે.
(ચક્રવર્તીના પુત્રો પ્રભુપાસે જઈને જિનદીક્ષા લેતાં કહે છે કે હે દેવ! આ
આપના માર્ગથી જાણ્યું છે. તેને પૂર્ણ સાંધવા માટે અમે જિનદીક્ષા લેવા માંગીએ
છીએ..)’