Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 41

background image
: ૩૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
ધર્માત્માની સંપદા:–
(પૃષ્ટ ૮ના લેખનો બીજો ભાગ)
– આમ કહે કે અમે જૈન, અમે વીતરાગદેવના ભક્ત; પણ જરાક અનુકૂળતા
આવે ત્યાં લલચાઈ જાય ને હર્ષમાં એકાકાર થઈ જાય, તથા પ્રતિકૂળતા આવે ત્યાં અંદર
મહા ખેદખિન્ન થઈને તે ખેદમાં એકાકાર થઈ જાય, હર્ષ–શોકથી જુદા જ્ઞાનને ભૂલી જાય;
સંયોગ ફરતાં જાણે આત્મા જ ખોવાઈ ગયો! – એ તે કાંઈ વીતરાગના ભક્તને શોભે
છે? જિનભગવાનનો ભક્ત ધર્મી તો ગમે તે સંયોગમાં, સંયોગથી ભિન્ન આત્માને ભૂલે
નહીં, આત્માનું જ્ઞાન છોડીને તેને હર્ષ–શોક થાય નહીં; હર્ષ–શોકથી જ્ઞાન જુદું ને જુદું
રહે એટલે શાંતિનું વેદન રહે. ઘણા કહે છે કે “અરેરે! અમને ક્યાંય શાંતિ નથી! ’ –
પણ બાપુ! તું પોતાને વીતરાગનો ભક્ત અને જિનેશ્વરનો પુત્ર કહેવડાવે અને તને
શાંતિ કેમ નહીં? વિચાર તો ખરો! વીતરાગનો પુત્ર રાગના ફળમાં અટકે નહિ, એ તો
બંનેનો જ્ઞાતા રહીને, પોતાના જ્ઞાનની અપૂર્વ શાંતિને અનુભવે. હર્ષ – શોકથી પાર
આત્માના આનંદનો સ્વાદ તેણે ચાખ્યો છે.
‘સમય બદલાય છે જ્યારે... બધું પલટકાય છે ત્યારે! ’ – જાણે સંયોગ પલટતાં
આત્મા જ આખો પલટી ગયો! એમ અજ્ઞાની સંયોગને જ જોઈને હર્ષ–શોક કર્યાં કરે છે,
પણ ભાઈ! સંયોગમાં તું ક્યાં છો? સંયોગ પલટતાં તું ક્યાં પલટી ગયો છો? તું તો
જ્ઞાનરૂપ જ રહ્યો છો. સંયોગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને લક્ષમાં તો લે. તો તને સંયોગમાં
હર્ષ–શોકની બુદ્ધિ છૂટી જશે, ને જ્ઞાનની ભાવનાથી અપૂર્વ શાંતિનું વેદન થતાં સંસારના
જન્મ–મરણના ફંદા મટી જશે. માટે ભેદજ્ઞાન કરીને આવી જ્ઞાનભાવના નિરંતર કરવી –
તે જ જગતમાં સાર છે. તે જ આત્માની સાચી સંપદા છે.

(ચક્રવર્તીના પુત્રો પ્રભુપાસે જઈને જિનદીક્ષા લેતાં કહે છે કે હે દેવ! આ
ચક્રવર્તીની સંપદામાં સુખ નથી, અમારી ચૈતન્યસંપદામાં જ અમારું સુખ છે... એમ અમે
આપના માર્ગથી જાણ્યું છે. તેને પૂર્ણ સાંધવા માટે અમે જિનદીક્ષા લેવા માંગીએ
છીએ..)’