Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
અહા, જુઓ તો ખરા સમ્યગ્જ્ઞાનનો મહિમા! સમ્યગ્જ્ઞાન થયું ત્યાં આત્મામાં
ધર્મનું ચોમાસું બેઠું.... ને શાંતિની અમીરસધારા વરસી. સમ્યગ્જ્ઞાન થતાં ચેતન્યમાં
શાંતિના શીતળ ફૂવારા ઊછળે છે, તે શાંતિની ધારા વિષય–કષાયના અગ્નિને બુઝાવી દે
છે. સમ્યગ્જ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે જીવને વિષય–કષાય મટે નહિ ને સુખ–શાંતિ
થાય નહીં. માટે હે જીવ! તું શીઘ્ર સમ્યગ્જ્ઞાનનું સેવન કર. ધર્મના અંકૂર ઊગાડવા માટે
હવે આ ‘શ્રાવણ માસ આવ્યો છે. ’
રાવણના રાજ્યમાં..... અને અત્યારે...!
પદ્મપુરાણમાં એક વાત આવે છે: લંકાનો રાજા રાવણ
ત્રણખંડનો દિગ્વિજય કરવા નીકળ્‌યો ત્યારે મરૂત રાજાના
બ્રાહ્મણો યજ્ઞમાં પશુવધ કરી રહ્યા હતા; નારદે તેમની સાથે
ઝગડો કરીને તેમને પશુવધ કરતા રોક્યા. તે બધાએ ભેગા
થઈને નારદને માર્યા ને પકડ્યા. આ સમાચાર જાણીને
રાવણને ઘણો ક્રોધ થયો કે અરે, આ શું? મારા રાજ્યમાં
જીવઘાત કરે છે? – તેણે હિંસક જીવોને શિક્ષા કરી ને નારદને
છોડાવીને તેની પ્રશંસા કરી. રાજાને પકડ્યો; ત્યારે તે રાજા
નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે લંકેશ! મને ક્ષમા કરો.
અજ્ઞાનીઓના મિથ્યા ઉપદેશથી હું હિંસામાર્ગમાં પ્રવર્ત્યો હતો,
તેમાંથી ઉદ્ધાર કરીને તમે મને અહિંસામય ધર્મમાં જોડ્યો છે.
– આ રીતે રાજા રાવણના વખતમાં પણ જાહેરમાં
જીવહિંસા થઈ શકતી ન હતી... અને અત્યારે... સ્વરાજ્યમાં?
.... રાજ્યની મદદથી લાખો પશુહિંસાના જાહેર કારખાના
સ્થપાય છે! રે કાળ!
નરકમાં સિંહ – વાઘ – વીંછી – સર્પ હોય?
ના; ત્યાં એવા તિર્યંચજીવો હોતાં નથી; નરકમાં જે સિંહ
વાઘ – વીંછી – સર્પ વગેરે દેખાય છે તે તો માયામયી છે એટલે
કે તે નારકીઓએ અથવા પરમાધામી દેવોએ કરેલી વિક્રિયા છે.
પંચેન્દ્રિયતિર્યંચો કે વિકલેન્દ્રિયજીવો ત્યાં હોતા નથી.