Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 41

background image
: ૩૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
વરસે છે પરમ આનંદ થાય છે. જેને પોતામાં આવી સમ્યગ્જ્ઞાનધારા વરસતી નથી
એવો અજ્ઞાની મોહના ઊકળાટમાં બળે છે, તેને તો દુષ્કાળ છે. જ્ઞાનની મેઘવૃષ્ટિ
વગર એને શાંતિ ક્્યાંથી થાય? માટે હે જીવ! તું સમ્યગ્જ્ઞાન કર.
અરે, તારે તારું હિત સાધવાનો આ અવસર છે, તો તેમાં વિકારથી જ્ઞાનને
ભિન્ન કરવાનો અવસર શું તને નહિ મળે? જો વિકારથી જ્ઞાનને ભિન્ન કરવાનો
પ્રયત્ન નહીં કર તો તને મોક્ષનો અવસર ક્્યાંથી આવશે? સળગતા સુકા વનની
જેમ રાગની ચાહમાં સળગતો આ સંસાર, તેનાથી છૂટવા માટે તારા
ચૈતન્યગગનમાંથી તું સમ્યગ્જ્ઞાનના શાંત જળની મેઘધારા વરસાવ.
આત્માને સમજાય અને આત્માથી થઈ શકે – એવી વાત છે. એકકોર
વીતરાગી શાંતરસનો દરિયો, બીજીકોર સંસારના રાગરૂપી દાવાનળ, – તે બંનેને
ભિન્ન જાણનારૂં સમ્યગ્જ્ઞાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે, ને આત્માને
શાંતિમાં ઠારે છે.
જેમ ઠંડો બરફ, અને ઉનો અગ્નિ, એ બંનેનો સ્પર્શ જુદી જાતનો છે, તેમ
શાંતરસરૂપ જ્ઞાન, અને આકુળતારૂપ રાગ, એ બંનેનો સ્વાદ તદ્ન જુદી જાતનો છે,
તે જ્ઞાનથી ઓળખાય છે, રાગથી ભિન્ન જ્ઞાનના અચિંત્ય સુખનો સ્વાદ જેણે
ચાખ્યો છે એવા જ્ઞાની જાણે છે કે – જ્ઞાનથી ભિન્ન એવા જે શુભાશુભ
ઈન્દ્રિયવિષયો તેમાં ક્્યાંય મારા સુખનો છાંટોય નથી; તેમાં પરમાં સુખ માનવું તે
મિથ્યાત્વ છે. જ્યાં સુખ ભર્યું છે એવા સ્વવિષયને ભૂલીને, પરવિષયોમાં
સુખબુદ્ધિને લીધે મિથ્યાદ્રષ્ટિ જીવ વિષયકષાયની ભયંકર આગમાં નિરંતર બળી
રહ્યો છે, – દુઃખી થઈ રહ્યો છે. તારા આત્માને દુઃખમાં બળતો બચાવવા માટે હે
જીવ! તું શીઘ્રપણે વિષયોથી ભિન્ન એવા તારા ચૈતન્યઅમૃતના સમુદ્રને દેખ. એક
વહાલો ભાઈ કે બહેન બળતી હોય, કે ઘર સળગતું હોય તો તેને બચાવવા બીજા
બધા કામ પડતા મુકીને કેવી તાલાવેલી કરે છે! તો અહીં વહાલામાં વહાલો એવો
પોતાનો આત્મા ભયંકર ભવદુઃખના અગ્નિમાં બળી રહ્યો છે તેને બચાવવા હે જીવ!
તું શીઘ્ર તાલાવેલી કર... ને સમ્યગ્જ્ઞાન કર. સમ્યગ્જ્ઞાન થતાં આત્મામાં શાંતરસની
અતીન્દ્રિય મેઘધારા વરસશે. આ સમ્યગ્જ્ઞાન જ ભયંકર સંસાર – દાવાનળથી
બચવાનો એકમાત્ર ઉપાય છે. તેથી મુનિવરોએ સમ્યગ્જ્ઞાનને અત્યંત પ્રશંસ્યું છે.