: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧ :
જ્ઞાનરૂપી મેઘવર્ષા વરસી..... ને ભવદાવાનળ બુઝાઈ ગયો
સમ્યક્ત્વને શ્રાવણમાસની ઉપમા છે; શ્રાવણ માસમાં જેમ મેઘવર્ષા થાય
છે ને સર્વત્ર શાંતિ પ્રસરે છે, તેમ સમ્યક્ત્વ થતાં આત્મામાં અપૂર્વ શાંતરસની
મેઘવર્ષા થાય છે. છહઢાળામાં પં. દૌલતરામજી કહે છે કે સમ્યગ્જ્ઞાનરૂપી મેઘવર્ષા
જ આ ભયાનક દુઃખ દાવાનળને બુઝાવવાનો ઉપાય છે –
“વિષય ચાહ–દવદાહ જગતજન–અરનિ દઝાવૈ;
તાસ ઉપાય ન આન જ્ઞાન–ઘનઘાન બુઝાવે.”
અહો, જ્ઞાન અને રાગની ભિન્નતાના ભાવભાસન વડે જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં
આત્મામાં ચૈતન્યના શાંતરસની એવી મેઘવર્ષા થઈ કે અનાદિના વિષય–કષાયની
ભયંકર આગ ક્ષણમાત્રમાં ઠરી ગઈ. જ્ઞાન થતાં જ કષાયોથી આત્મા જુદો પડી ગયો ને
ચૈતન્યના પરમ શાંતરસમાં મગ્ન થયો. પછી જે અલ્પ રાગાદિ રહ્યા તે તો જ્ઞાનથી
જુદાપણે રહ્યા છે, એકપણે રહ્યા નથી. કષાયના કોઈ અંશને ધર્મીજીવ જ્ઞાનમાં ભેળવતા
નથી... આવું અપૂર્વ જ્ઞાન તે પરમ મહિમાવંત છે – એમ મુનિનાથે કહ્યું છે.
સમ્યગ્જ્ઞાનવડે આત્માના અનુભવથી અંતરમાં જ્યાં શાંત ચૈતન્યરસની ધારા
ઉલ્લસી, ત્યાં ધર્મી કહે છે કે –
અબ મેરે સમકિત – સાવન આયો....
અનુભવ–દામિની (વીજળી) દમકન લાગી, સુરતિ ઘટા ઘન છાયો;
સાધકભાવ – અંકૂર ઊઠે બહુ જિત–તિત હરષ છવાયો... અબ મેરે સમકિત૦
અમારા આત્મામાં સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવતાં હવે મોહની ગ્રીષ્મઋતુનો
ઊકળાટ શમી ગયો છે ને શાંતરસની ઘનઘોર ધારા અસંખ્યપ્રદેશમાં સર્વત્ર વરસી રહી
છે; મોહની ધૂળ હવે ઊડતી નથી; સ્વાનુભવરૂપી વીજળીના ઝબકારા થાય છે, ને ધર્મના
નવીન આનંદમય અંકૂરા ફૂટયા છે. – આમ ધર્મીને સમ્યગ્જ્ઞાનની મેઘવર્ષા