કે તેઓ અરિહંત પરમાત્મા થયા. તે પરમાત્મા દિવ્યશક્તિવાળા કેવળજ્ઞાન વડે
ત્રણલોક–ત્રણકાળને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. ‘નમો અરિહંતાણં’ કહેતા આવા
કેવળજ્ઞાનની પ્રતીત સાથે આવવી જોઈએ, તો જ અરિહંતદેવને સાચા નમસ્કાર
થાય. પંચપરમેષ્ઠીમાં અરિહંતભગવાન તથા સિદ્ધભગવાન કેવળજ્ઞાની છે.
સીમંધરભગવાન વગેરે લાખો અરિહંતભગવંતો અત્યારે પણ આ મનુષ્યલોકમાં
વિચરી રહ્યા છે. આવા કેવળજ્ઞાનની પ્રતીત આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક
થાય છે. એવું કેવળજ્ઞાન કેમ થાય? – કે સર્વજ્ઞસ્વભાવી આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક તેનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે, બીજા કોઈ ઉપાયથી
કેવળજ્ઞાન થતું નથી. પહેલાંં સમ્યગ્જ્ઞાન પણ શુભરાગથી નથી થતું પણ રાગ
વગરના આત્માના અનુભવથી જ થાય છે; ને પછી કેવળજ્ઞાન પણ રાગરહિત
આત્માના અનુભવમાં એકાગ્રતારૂપ શુદ્ધપયોગવડે જ થાય છે. – આમ ઓળખે તો
જ કેવળજ્ઞાનને ઓળખ્યું કહેવાય. રાગવડે જ્ઞાન થવાનું માને તેણે કેવળજ્ઞાનને કે
એકકેય જ્ઞાનને ઓળખ્યું નથી; તેણે તો જ્ઞાન અને રાગની ભેળસેળ કરીને
કેવળજ્ઞાનને પણ રાગવાળું માન્યું; કેમકે રાગને કારણ માન્યું તો તેનું કાર્ય પણ
રાગવાળું જ હોય. – પણ જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા જાણીને
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે જ કેવળજ્ઞાનનું કારણ છે – એમ ધર્મી જીવો
જાણે છે, ને તેઓ જ્ઞાન સાથે રાગની જરાપણ ભેળસેળ કરતા નથી;
વીતરાગવિજ્ઞાનવડે તેઓ કેવળજ્ઞાનને અને મોક્ષસુખને સાધે છે.
સન્મુખતાથી જ થાય છે. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં રાગથી જુદો પડ્યો એટલે
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં સર્વજ્ઞની પણ સાચી ઓળખાણ થઈ.
તે જ્ઞાન સાથે રાગ વગરનું વીતરાગી સુખ પણ ભેગું જ છે. સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન
તે રાગથી ભિન્ન કેવળજ્ઞાનની જાતના જ છે, તેઓ કેવળજ્ઞાન સાથે કેલિ કરનારા
છે.
મરણનાં દુઃખોને મટાડનારું ને મોક્ષસુખ દેનારું પરમ અમૃત છે.