Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
આ સમ્યગ્જ્ઞાનનું પ્રકરણ ચાલે છે. સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન સ્વસંવેદનકાળે પ્રત્યક્ષ છે
ને બાકીનાં કાળમાં પરોક્ષ છે. અવધિ અને મનઃપર્યય જ્ઞાન એકદેશપ્રત્યક્ષ છે, તેઓ ઈંદ્રિય
કે મનના નિમિત્ત વગર, અમુક મર્યાદિત ક્ષેત્રમાં રહેલા અમુક જ પદાર્થોને તેના અમુક જ
કાળને અને અમુક ભાવોને જ જાણે છે એટલે કે અધૂરા છે; જેટલું જાણે છે તેટલું તો પ્રત્યક્ષ
જાણે છે, પણ અધૂરું જાણે છે તેથી તેને દેશપ્રત્યક્ષ કહેવાય છે. શ્રુતજ્ઞાનમાં તો બધા
પદાર્થોને પરોક્ષ જાણવાની તાકાત છે–એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનમાં ઘણી તાકાત છે, ને
કેવળજ્ઞાન તો અદ્ભુત અચિંત્ય મહિમાવાળું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. સમ્યક્ મતિ –
શ્રુતજ્ઞાન બધા સમ્યગ્જ્ઞદ્રષ્ટિ–સાધકજીવોને હોય છે; અવધિજ્ઞાન કોઈ કોઈ જીવોને હોય છે.
તેમાં દેશઅવધિજ્ઞાન ચારેગતિમાં હોય છે; નરકમાં ને દેવમાં તો બધા સમ્યગ્દ્રષ્ટિને હોય છે,
ને તિર્યંચમાં તથા મનુષ્યમાં કોઈ કોઈ જીવોને હોય છે. વિશેષ અવધિજ્ઞાન (પરમ અવધિ
અને સર્વઅવધિ) તો કોઈ ખાસ મુનિવરોને જ હોય છે; કુઅવધિરૂપ વિભંગજ્ઞાન તો દેવ–
નારકીમાં બધા જીવોને હોય છે; ઘણા તિર્યંચો તેમજ મનુષ્યોને પણ વિભંગ જ્ઞાન હોય છે,
ને તેના વડે અનેક દ્વીપ–સમુદ્ર વગેરેને જાણી શકે છે; પણ મોક્ષમાર્ગમાં તેની કોઈ કિંમત
નથી; તે કાંઈ વીતરાગ વિજ્ઞાન નથી, તે તો અજ્ઞાન છે. સામાન્ય બળદ વગેરે અજ્ઞાની
પ્રાણી પણ જ્ઞાનના કંઈક ઉઘાડ વડે સામાના મનની વાત જાણી લ્યે ત્યાં અજ્ઞાનીઓને
આશ્ચર્ય ઊપજે છે, પણ અતીન્દ્રિય કેવળજ્ઞાનના અદ્ભુત અચિંત્ય સામર્થ્યની તેને ખબર
નથી, અરે! સમ્યગ્દ્રષ્ટિના સ્વસંવેદનમાં અતીન્દ્રિય મતિ–શ્રુતજ્ઞાનની કોઈ અપાર તાકાત
છે તેની પણ તેને ખબર નથી. જ્ઞાન તો કોને કહેવાય? – કે જે રાગથી પાર થઈને
આનંદરસમાં તરબોળ થયું છે – એવું જ્ઞાન તે જ જ્ઞાન છે, તે વીતરાગવિજ્ઞાન છે ને તે
મોક્ષનું કારણ છે. મનઃપર્યયજ્ઞાન પણ કોઈ વિશિષ્ટ ઋદ્ધિધારી મુનિઓને જ હોય છે, ને
તેમાંય વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન તો ચરમશરીરી મુનિવરોને જ હોય છે. કેવળજ્ઞાનરૂપ
મહા પ્રત્યક્ષ જ્ઞાન અરિહંત અને સિદ્ધભગવંતોને હોય છે. –આ રીતે પાંચ પ્રકારનું
સમ્યગ્જ્ઞાન જાણીને તેની આરાધના કરો.
કેવળજ્ઞાન પ્રગટ કરીને જેઓ પરમાત્મા થયા તેઓ, પહેલાંં અનાદિથી તો
બહિરાત્મા હતા; તેમણે પહેલાંંતો સમ્યગ્દ્રર્શન કર્યું, તેની સાથે મતિ શ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન
થયું; એટલે બહિરાત્મપણું છોડીને તેઓ અંતરાત્મા થયા, પછી શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં
લીન થઈને ચારિત્રરૂપ મુનિદશા સાધી. તેમાં કોઈને અવધિ–મન: પર્યયજ્ઞાન પ્રગટે છે ને
કોઈને નથી પણ પ્રગટતા; – તેની સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી. પછી