વગેરે પરની અપેક્ષાસહિત જે જ્ઞાન થાય તે તો પરોક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં પરનું
અવલંબન હોતું નથી. અરે, જાણવાનો સ્વભાવ પોતાનો, તેમાં વળી પરના આલંબનની
પરાધીનતા કેવી? પરાલંબી પરોક્ષ–જ્ઞાનવડે આત્મા જણાય નહીં. ઈન્દ્રિયાતીત અને
રાગથી પાર એવા સ્વાધીન અતીન્દ્રિય જ્ઞાનવડે આત્મા જણાય છે. સ્વાધીન કહો,
અતીન્દ્રિય કહો કે પ્રત્યક્ષ કહો, તે જ્ઞાન સ્પષ્ટ છે, તેનો આરંભ ચોથા ગુણસ્થાનથી થઈ
જાય છે, ચોથા ગુણસ્થાને સ્વાનુભૂતિમાં સમ્યક્ મતિ– શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ હોય છે, તેમાં
ઈન્દ્રિય કે મન નિમિત્ત નથી. આવું સ્વાનુભવ પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાન આઠ વર્ષની
બાલિકાને પણ થાય છે. તે સમ્યગ્દ્રષ્ટિ બાલિકાને અંતરમાં ધ્યાનકાળે પોતાના જ્ઞાન–
આનંદમય આત્માનું વેદન, રાગ અને ઈન્દ્રિયોની અપેક્ષા વગરનું છે; તે વખતના
સમ્યગ્જ્ઞાનને અધ્યાત્મ શૈલીમાં પ્રત્યક્ષ કહેવાય છે. તે ધ્યાનમાં હોય ત્યારે સ્વાનુભવમાં
પોતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, ત્યારે બહારમાં બીજા બધાનું લક્ષ છૂટી
જાય છે. આ રીતે જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર થઈને અતીન્દ્રિયપણે આત્માને અનુભવે
છે ત્યારે આત્મામાં અતીન્દ્રિય આનંદરસની ધારા ઉલ્લસે છે. સિંહ વગેરે પશુઓમાં પણ
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય તે જીવને આવું પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ્યું હોય છે. તીર્થંકર
પરમાત્માના સમવસરણમાં નાગ ને વાઘ હાથી ને હરણ સિંહ ને સસલાં વગેરે પશુઓ
પણ આવે છે ને તેમાથી ઘણા જીવો આવા આત્માનું સ્વરૂપ ઓળખીને પ્રત્યક્ષ –
અતીન્દ્રિય જ્ઞાનવડે તેનો અનુભવ કરે છે. મહાવીર ભગવાનના આત્માએ સિંહપર્યાયમાં
આવો અનુભવ કર્યો હતો, ને પાર્શ્વનાથ ભગવાનના આત્માએ હાથીની પર્યાયમાં આવો
અનુભવ કર્યો હતો. તે સિંહને તથા હાથીને પણ આવું પ્રત્યક્ષ – અતીન્દ્રિય જ્ઞાન હતું.
અત્યારે પણ આ મધ્યલોકમાં અસંખ્ય પશુઓ આવા આત્મજ્ઞાન સહિત વર્તે છે.
છો. આવા આત્માનું જ્ઞાન કરવાનો આ અવસર છે. લંકાના મહારાજા રાવણનો મુખ્ય
હાથી ‘ત્રિલોકમંડન, ’ , જેને રામચંદ્રજી પોતાની સાથે અયોધ્યા લાવ્યા હતા, તે હાથીને
પણ આવું આત્મજ્ઞાન થયું હતું, તેમ જ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પણ થયુંહતું – એ
પણ આત્મા છે ને! એનામાંય જ્ઞાનશક્તિ ભરેલી છે; તે પોતે સ્વસંવેદનવડે પ્રત્યક્ષ
અનુભવમાં લઈને તેણે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું.