Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
પ્રશ્ન:– આપ કહો છો કે આત્માને દેખો. હવે આંખથી તો આત્મા દેખાય
નહીં, ને આંખ મીંચીએ તો અંદર અંધારું – અંધારું લાગે; તો આત્માને જોવો કઈ
રીતે?
ઉત્તર: – ભાઈ, ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા ન દેખાય, અતીન્દ્રિય જ્ઞાનવડે જ
આત્મા દેખાય. આંખ મીંચી ત્યારે પણ ‘આ અંધારું છે, ને અંધારું છે તે હું નથી’ –
એમ કોણે જાણ્યું? આત્માએ કે બીજા કોઈએ? અંધારાને જાણનારો પોતે કાંઈ
આંધળો નથી, એ તો જાગૃત ચૈતન્યસત્તા છે, ને તે જ આત્મા છે. પહેલાંં
ચૈતન્યવસ્તુ કેવી છે તે બરાબર લક્ષગત કરવી જોઈએ; પછી તેનો અત્યંત રસ અને
અત્યંત મહિમા આવતાં, પરિણામ તેમાં એકાગ્ર થઈને, અનુભવમાં તેનો સાક્ષાત્કાર
થાય છે, ‘આ અંધારું છે’ એમ અંધારાને દેખ્યું કોણે? અંધારું પોતે પોતાને નથી
દેખતું, પણ ચૈતન્યસત્તા દેખે છે કે આ અંધારું છે, ને હું તેને જાણનાર છું. અંધારાને
જાણનારો ‘હું અંધારું છું’ એમ નથી જાણતો પણ ‘આ અંધારું છે’ એમ જાણે છે,
એટલે કે અંધારાને જાણનારો અંધારાથી જુદો છે. બસ! આ જાણનાર તત્ત્વ તે જ
આત્મા છે, અને અંતર્મુખ મતિ–શ્રુતજ્ઞાન વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણી
શકાય છે. બાકી આંખ વગેરેથી આત્મા જણાય નહીં. ભાઈ, જે ચૈતન્યસત્તામાં આ
બધું જણાય છે તે તું જ છો. તેને અંદર વિચારમાં લે. અનાદિથી પોતે પોતાની
ચૈતન્યસત્તાનો વિચાર કર્યો નથી. જાણનારો પોતે ‘હું જાણનાર છું’ એમ પોતાના
અસ્તિત્વને જ ન માને – એ આશ્ચર્ય છે.
હે જીવ! જ્ઞાન તે તારું સ્વ છે, અંધારું પર છે. અંધકાર અને પ્રકાશ એ બન્ને
પર્યાયો પુદ્ગલની છે, તેને જાણનારું અરૂપી જ્ઞાન આત્માનું છે. આવા આત્માના નિર્ણય
માટે અંદર ઉદ્યમ કરવો જોઈએ. બહારમાં પાંચ–પચાસ હજાર રૂપિયા મેળવવા માટે
કેટલા પ્રેમથી મહેનત કરે છે? ઘરબાર છોડીને, ખાવાપીવાની મુશ્કેલી વેઠીને પણ પૈસા
કમાવા પરદેશ જાય છે ને દિનરાત મજૂરી કરે છે. તો આ સાદિઅનંત મહાન સુખ દેનારી
પોતાની અદ્ભુત જ્ઞાનલક્ષ્મી કેવી છે? તેને પ્રાપ્ત કરવા, તેનો અનુભવ કરવા, અંતરમાં
કેટલા પેમથી ઉદ્યમ કરવો જોઈએ? બાપુ! તારી સાચી લક્ષ્મી તો આ સમ્યગ્જ્ઞાન છે કે જે
પરમસુખ દેનાર છે; બાકી પૈસા વગેરે તો ધૂળ–રજકણ છે, તે કાંઈ તારી લક્ષ્મી નથી ને
તેમાંથી તને કદી સુખ મળવાનું નથી.
જ્ઞાનનો સ્વભાવ પ્રત્યક્ષ એટલે એકલા આત્માથી જાણવાનો છે; જાણવામાં
પરનું અવલંબન લ્યે એવો તેનો સ્વભાવ નથી. આંખથી નજરે દેખાય તે પ્રત્યક્ષ –
એ વ્યાખ્યા