રીતે?
એમ કોણે જાણ્યું? આત્માએ કે બીજા કોઈએ? અંધારાને જાણનારો પોતે કાંઈ
આંધળો નથી, એ તો જાગૃત ચૈતન્યસત્તા છે, ને તે જ આત્મા છે. પહેલાંં
ચૈતન્યવસ્તુ કેવી છે તે બરાબર લક્ષગત કરવી જોઈએ; પછી તેનો અત્યંત રસ અને
અત્યંત મહિમા આવતાં, પરિણામ તેમાં એકાગ્ર થઈને, અનુભવમાં તેનો સાક્ષાત્કાર
થાય છે, ‘આ અંધારું છે’ એમ અંધારાને દેખ્યું કોણે? અંધારું પોતે પોતાને નથી
જાણનારો ‘હું અંધારું છું’ એમ નથી જાણતો પણ ‘આ અંધારું છે’ એમ જાણે છે,
એટલે કે અંધારાને જાણનારો અંધારાથી જુદો છે. બસ! આ જાણનાર તત્ત્વ તે જ
આત્મા છે, અને અંતર્મુખ મતિ–શ્રુતજ્ઞાન વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણી
શકાય છે. બાકી આંખ વગેરેથી આત્મા જણાય નહીં. ભાઈ, જે ચૈતન્યસત્તામાં આ
બધું જણાય છે તે તું જ છો. તેને અંદર વિચારમાં લે. અનાદિથી પોતે પોતાની
ચૈતન્યસત્તાનો વિચાર કર્યો નથી. જાણનારો પોતે ‘હું જાણનાર છું’ એમ પોતાના
અસ્તિત્વને જ ન માને – એ આશ્ચર્ય છે.
માટે અંદર ઉદ્યમ કરવો જોઈએ. બહારમાં પાંચ–પચાસ હજાર રૂપિયા મેળવવા માટે
કેટલા પ્રેમથી મહેનત કરે છે? ઘરબાર છોડીને, ખાવાપીવાની મુશ્કેલી વેઠીને પણ પૈસા
કમાવા પરદેશ જાય છે ને દિનરાત મજૂરી કરે છે. તો આ સાદિઅનંત મહાન સુખ દેનારી
પોતાની અદ્ભુત જ્ઞાનલક્ષ્મી કેવી છે? તેને પ્રાપ્ત કરવા, તેનો અનુભવ કરવા, અંતરમાં
પરમસુખ દેનાર છે; બાકી પૈસા વગેરે તો ધૂળ–રજકણ છે, તે કાંઈ તારી લક્ષ્મી નથી ને
તેમાંથી તને કદી સુખ મળવાનું નથી.
એ વ્યાખ્યા