: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
प्रस्तावना
काया चेतनमें हुआ, एक दिन तकरार।
श्री मुनिवरके निकट जा, चेतन करी पुकार।। (१)
चेतन – हे नाथ! काया यों कहती, नहीं साथ तुम्हारे चलती हूँ
तुम्हारा मेरा साथ यहीं तक, अब मे यहींपर रहती हूँ।
कैसे छोडू मैं इसको, हा! बडे प्यारसे पाला था
इसके खातिर स्वामी मैंने, घरघर डाका डाला था।।
इस प्रकार ये झगड रही है, मूरख नादानीको।
हाय! कहो अब कैसे छोडू, अपनी प्रीत पुरानीको? (२)
गुरुदेव–चेतनकी करुणा भरी, श्रीगुरु सुनी पुकार
कायासे पूछत गुरु, यों मृदु वचन उचार।
ये काया! क्या बात है, चेतनके प्रतिकूल,
तुम भी अपनी बातको, बतलाओ अनुकूल।। (३)
काया–बोली काया हे गुरु! सुनो हमारी बात।
ये चेतन तो मूरख है, करै अनाडी बात।।
‘चलो हमारे साथ तुम, ’ ये चेतन यों कहता है।
मेरे कुलकी रीत अनादि, यह सब मेटन चाहता है।।
इन्द्र नरेन्द्र धरणेन्द्रके संग, नहीं गयी सब जानत है।
ये चेतन मूरख अभिमानी, मुझसे प्रीति ठानत है।।
એક દિવસ, જ્યારે જીવને પરલોકમાં જવાની તૈયારી થઈ ત્યારે, કાયા અને ચેતન વચ્ચે તકરાર
થઈ; ત્યારે શ્રી મુનિરાજની પાસે આવીને ચેતને પોકાર કર્યો: હે નાથ! અમે (જીવ અને કાયા)
આખો ભવ ભેગા રહ્યા, હવે હું પરલોકમાં જઉં છું ત્યારે આ કાયા એમ કહે છે કે હું તારી સાથે નહીં
આવું! મારો ને તારો સથવારો અહીં સુધી જ હતો, હવે હું તો અહીં જ રહીશ. તો હે નાથ! ઘણા
પ્રેમથી જેનું મેં જીવનભર પાલન કર્યું તેને હવે હું કેમ છોડું? એને ખાતર તો મેં અનેક ઘરમાં ચોરી
કરી; હવે તે મૂરખ–કાયા નાદાન થઈને મારી સાથે ઝગડી રહી છે. હાય! આ કાયાની પુરાણી પ્રીતને
હવે હું કેમ છોડું? (૧–૨)
શ્રીગુરુએ ચેતનની કરુણાભરી વાત સાંભળીને પછી મધુર વચનથી કાયાને પૂછયું: હે
કાયા! તારી વિરુદ્ધ ચેતનની આ શી વાત છે? તું પણ તારે જે કહેવું હોય તે કહે.
કાયાએ કહ્યું: હે ગુરુ! મારી વાત સાંભળો! આ ચેતન તો મૂરખ છે, તે પાગલ જેવી
અનાડી વાત કરે છે કે ‘તું મારી સાથે ચાલ! ’–આમ કહીને તે મારા કુળની અનાદિની રીતને
તોડવા માંગે છે. જગત આખું જાણે છે કે હું ઈન્દ્ર નરેન્દ્ર કે ધરણેન્દ્રની સાથે પણ કદી ગઈ નથી. છતાં
આ અભિમાની ચેતન મૂરખ થઈને