ફોન નં. : ૩૪ “ આત્મધર્મ ” Regd. No. G. B. V. 10
૧
અસાર...અસાર રે સંસાર!
સુનો સુનો રે સંસાર
અસાર અસાર રે સંસાર...
ચેતનપદ એક છે સાર,
સુંદર જેમાં શાંતિ અપાર.
લડતાં–લડતાં હારેલા ભરતચક્રવર્તીએ પોતાના ભાઈ ઉપર ચક્ર છોડ્યું...
ચારેકોર હાહાકાર થઈ ગયો....પણ, જેમ શાંતિ પાસે ક્રોધનું કાંઈ ચાલતું નથી તેમ,
તે ચક્ર ચરમશરીરી બાહુબલીને કંઈ પણ ન કરતાં, શાંત થઈને પાછું ચાલ્યું ગયું...
ચક્ર તો ગયું પણ, યુદ્ધના વાતાવરણમાં તરત જ એક મહાન પરિવર્તન
થઈ ગયું.
વિજેતા બાહુબલીનું ચિત્ત તે જ ક્ષણે સંસારથી વિરક્ત થઈ ગયું:
વૈરાગ્યથી તેઓ વિચારવા લાગ્યા–અરે, આ સંસાર કેવો અસાર છે! જેમાં
પૃથ્વીના એક ટુકડા માટે કે માન–અપમાન માટે ભાઈ–ભાઈ ને મારવા પણ
તૈયાર થઈ જાય છે. અરે, ક્્યાં ચૈતન્યતત્ત્વની પરમ શાંતિ! ને ક્્યાં આ
કષાયની અશાંતિ! બસ, હવે આવા અશાંત સંસારમાં મારે એકક્ષણ પણ રહેવું
નથી. હું મારા ચૈતન્યની અતીન્દ્રિય શાંતિમાં જ રહીશ...ને મોક્ષપદને સાધીશ.
બસ, આવા વૈરાગ્યથી સંસાર છોડીને બાહુબલી ગયા તે ગયા! એક
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ફાગણ
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૬૦૦