Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 37

background image
યુદ્ધ અને
ભગવાન ઋષભદેવના બે પુત્રો–ભરત અને
બાહુબલી...બંને ચરમશરીરી; આત્માને જાણનારા
બહાદૂર અને વૈરાગી. માન–અપમાનના પ્રશ્ને બંને
ભાઈઓ લડયા. એકવાર લડયા...બે વાર લડયા...
ત્રણવાર લડયા. સમ્યક્ આત્મા ઉપર જેમની દ્રષ્ટિ છે
એવા તે બંને, સામસામી દ્રષ્ટિ માંડીને દ્રષ્ટિયુદ્ધ
લડયા...ભરતની હાર થઈ.
ભવજળને તરનારા બંને ભાઈઓએ જલયુદ્ધ
કર્યું...ભરતરાજ તેમાંય હારી ગયા...મોહમલ્લનું મર્દન
કરનારા બંને ભાઈઓએ મલ્લયુદ્ધ કર્યું...તેમાંય બાહુબલીએ
ભરતરાજને ખંભા પર ઉપાડીને હરાવી દીધા...


‘અરે, હું ચક્રવર્તી...ને મારું આવું અપમાન!
એમ ત્રણે યુદ્ધમાં હારેલા ભરતે ક્રોધિત થઈને
બાહુબલીને મારવા માટે ચક્ર ફેંકયું...પણ...