૯૨
પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ૨૭૧.
જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાન્તિવાળું છે તે જ મારે જોઈએ છે — એવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. ૨૭૨.
ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઊઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે, વારંવાર ચેતન તરફ — જ્ઞાયક તરફ વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડમાંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, તેમ ‘હે ચેતન’, ‘હે જ્ઞાયક’ એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રુચિ રહ્યા કરે; ‘હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે’ એવું વર્ત્યા કરે. ૨૭૩.
અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો,