Benshreena Vachanamrut (Gujarati). Bol: 366.

< Previous Page   Next Page >


Page 130 of 186
PDF/HTML Page 147 of 203

 

૧૩૦

બહેનશ્રીનાં વચનામૃત

મળ્યા બરાબર છે. અનાદિ કાળથી જીવ અંદરમાં જતો નથી ને નવીનતા પ્રાપ્ત કરતો નથી; એક ને એક વિષયનુંશુભાશુભ ભાવનુંપિષ્ટપેષણ કર્યા જ કરે છે, થાકતો નથી. અશુભમાંથી શુભમાં ને વળી પાછો શુભમાંથી અશુભમાં જાય છે. જો શુભ ભાવથી મુક્તિ થતી હોત, તો તો ક્યારની થઈ ગઈ હોત! હવે, જો પૂર્વે અનંત વાર કરેલા શુભ ભાવનો વિશ્વાસ છોડી, જીવ અપૂર્વ નવીન ભાવને કરેજિનવરસ્વામીએ ઉપદેશેલી શુદ્ધ સમ્યક્ પરિણતિ કરે, તો તે અવશ્ય શાશ્વત સુખને પામે. ૩૬૫.

જેણે આત્મા ઓળખ્યો છે, અનુભવ્યો છે, તેને આત્મા જ સદા સમીપ વર્તે છે, દરેક પર્યાયમાં શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે. વિવિધ શુભ ભાવો આવે ત્યારે કાંઈ શુદ્ધાત્મા ભુલાઈ જતો નથી અને તે ભાવો મુખ્યપણું પામતા નથી.

મુનિરાજને પંચાચાર, વ્રત, નિયમ, જિનભક્તિ ઇત્યાદિ સર્વ શુભ ભાવો વખતે ભેદજ્ઞાનની ધારા, સ્વરૂપની શુદ્ધ ચારિત્રદશા નિરંતર ચાલુ જ હોય છે. શુભ ભાવો નીચા જ રહે છે; આત્મા ઊંચો ને ઊંચો જ ઊર્ધ્વ જરહે છે. બધુંય પાછળ રહી જાય છે,