પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું જે પ્રગટે છે, તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળતત્ત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજું બહારનું તો અનંત કાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધભાવમાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં ક્યાંય શાંતિ નથી. જોકે શુભભાવ આવ્યા વિના રહેતા નથી, તોપણ ત્યાં શાંતિ તો નથી જ. શાંતિ હોય, સુખ હોય — આનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્ય જ છે. નિવૃત્તિમય ચૈતન્યપરિણતિમાં જ સુખ છે, બહારમાં ક્યાંય સુખ છે જ નહિ. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક જ મનુષ્યજીવનમાં કરવા-યોગ્ય — હિતરૂપ — કલ્યાણરૂપ છે. ૩૭૫.
પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, તેના જ આલંબનથી, પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક પરમપારિણામિકભાવનું આલંબન. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિકભાવરૂપ