૧૩૮
ભાવો દરમ્યાન જ્ઞાતૃત્વપરિણતિની ધારા તો સતત ચાલુ જ હોય છે.
નિજસ્વરૂપધામમાં રમનારા મુનિરાજને પણ પૂર્ણ વીતરાગદશાના અભાવે વિધવિધ શુભભાવો હોય છેઃ — તેમને મહાવ્રત, અઠ્યાવીશ મૂળગુણ, પંચાચાર, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ સંબંધી શુભ- ભાવો આવે છે તેમ જ જિનેંદ્રભક્તિ-શ્રુતભક્તિ- ગુરુભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે છે. ‘હે જિનેંદ્ર! આપનાં દર્શન થતાં, આપનાં ચરણ- કમળની પ્રાપ્તિ થતાં, મને શું ન પ્રાપ્ત થયું? અર્થાત્ આપ મળતાં મને બધુંય મળી ગયું.’ આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ જિનેંદ્રભક્તિના ધોધ વહાવ્યા છે. — આવા આવા અનેક પ્રકારના શુભભાવો મુનિરાજને પણ હઠ વિના આવે છે. સાથે સાથે જ્ઞાયકના ઉગ્ર આલંબનથી મુનિયોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વધારા પણ સતત ચાલુ જ હોય છે.
સાધકને — મુનિને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને — જે શુભભાવો આવે છે તે જ્ઞાતૃત્વપરિણતિથી વિરુદ્ધ- સ્વભાવવાળા હોવાથી આકુળતારૂપે — દુઃખરૂપે વેદાય છે, હેયરૂપ જણાય છે, છતાં તે ભૂમિકામાં આવ્યા વિના રહેતા નથી.