૪
‘સાંભળ્યા જ કરીએ’ એમ થાય. ગુરુદેવે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો ને સ્પષ્ટ કર્યો છે. તેઓશ્રીને શ્રુતની લબ્ધિ છે. ૮.
પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે — ધન રળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય, અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. ૯.
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય — આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. ૧૦.
મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદમાર્ગનો કે ઉત્સર્ગમાર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે તો તેને