વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. ૧૧.
દ્રવ્યદ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, દ્રષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની સહજ દશા સાધેલી છે. ૧૨.
‘હું જ્ઞાયક ને આ પર’, બાકી બધાં જાણવાનાં પડખાં છે. ‘હું જ્ઞાયક છું, બાકી બધું પર’ — આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. ૧૩.
‘હું છું’ એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે