Benshreena Vachanamrut (Gujarati). Bol: 65-68.

< Previous Page   Next Page >


Page 23 of 186
PDF/HTML Page 40 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૨૩

તે આત્મતત્ત્વ જ એક શરણ છે. બહારમાં, પંચ પરમેષ્ઠીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનમસ્કાર કરવાયોગ્ય છે કેમ કે તેમણે આત્માની સાધના કરી છે; તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ ભવ્યજીવોનાં શરણ છે. ૬૪.

દેવ-ગુરુની વાણી અને દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા ચૈતન્યદેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં તેમ જ સ્વરૂપપ્રાપ્તિ કરવામાં નિમિત્તો છે. ૬૫.

બહારનું બધું થાય તેમાંભક્તિ-ઉલ્લાસનાં કાર્ય થાય તેમાં પણકાંઈ આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. ૬૬.

દરેક પ્રસંગમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ તે જ લાભદાયક છે. ૬૭.

પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી