Benshreena Vachanamrut (Gujarati). Bol: 62-64.

< Previous Page   Next Page >


Page 22 of 186
PDF/HTML Page 39 of 203

 

૨૨

બહેનશ્રીનાં વચનામૃત

ત્યાં સમય ચાલ્યો જાય છે; ‘રુચિ અનુયાયી વીર્ય’. જ્ઞાયકના ઘૂંટણમાં નિરંતર રહે, દિવસ-રાત એની પાછળ પડે, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. ૬૧.

જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેનેભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણ સમ્યક્ત્વસન્મુખતા થાય છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો, ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૬૨.

જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય; આંબાનું બીજ (ગોટલો) વાવે તો આંબાનું ઝાડ થાય અને આકોલિયાનું બીજ વાવે તો આકોલિયાનું ઝાડ થાય. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ. ૬૩.

અંદરમાં, ચૈતન્યતત્ત્વ નમસ્કાર કરવા યોગ્ય છે; તે જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે, ભવ્યજીવોને