Benshreena Vachanamrut (Gujarati). Bol: 153-156.

< Previous Page   Next Page >


Page 47 of 186
PDF/HTML Page 64 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૪૭

અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન પ્રગટ થતું નથી. ૧૫૧.

આત્માને ઓળખી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫૨.

રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે, પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવ- શાસ્ત્ર-ગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક વાર નિજ ઘર જોઈ લે. ૧૫૩.

જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજું ડખલરૂપ લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજું ન ગમે. કાલ કરીશ, કાલ કરીશ’ એવા વાયદા ન હોય. અંદર ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં જ કરવું છે. ૧૫૪.

જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫.

કરવાનું તો એક જ છેપરથી એકત્વ તોડવું. પર