અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાન — કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. ૧૫૧.
આત્માને ઓળખી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫૨.
રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે, પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવ- શાસ્ત્ર-ગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક વાર નિજ ઘર જોઈ લે. ૧૫૩.
જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજું ડખલરૂપ લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજું ન ગમે. ‘કાલ કરીશ, કાલ કરીશ’ એવા વાયદા ન હોય. અંદર ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં જ કરવું છે. ૧૫૪.
જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫.
કરવાનું તો એક જ છે — પરથી એકત્વ તોડવું. પર