Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 106 of 153
PDF/HTML Page 119 of 166

 

background image
૧૦૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
આ બધું સહજ સ્મરણમાં આવેલ છે તે લખાઈ જાય છે.
આ જીવ અનંત કાળમાં પરિભ્રમણ કરતાં અત્યારે
ભરતભૂમિમાં છે.
ભાવી તીર્થંકર, ગયા ભવના રાજકુમાર, શ્રી
કહાનગુરુદેવના સાન્નિધ્યમાં- તેમનાં ચરણોમાં-રહેવાનો સુયોગ
આ ભરતભૂમિમાં સાંપડયોં છે.
શ્રી ગુરુદેવના અંતરમાં પ્રગટેલા ઝળહળતા શ્રુતજ્ઞાનસૂર્ય
દ્વારા અનુપમ રહસ્યો ઝરતી અમૃત-વાણી નિરંતર સુણવાનો
અપૂર્વ યોગ પ્રાપ્ત થયો છે તે મહા ભાગ્ય છે.
ગુરુદેવની નિરંતર વાણી, તેમના આહારદાન વગેરેના
પાવન પ્રસંગો જે પંચમ કાળે મળ્‌યા તે અહોભાગ્ય છે.
અનંત કાળના પરિભ્રમણનું દુઃખ અને વિભાવનું દુઃખ સર્વ
પરદ્રવ્ય, પરભાવો ને ભેદભાવોથી ન્યારા શુદ્ધાત્મતત્ત્વને
બતાવનારી ગુરુદેવની વાણીથી સહજ ટળે છે.
પૂ. ગુરુદેવે શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાનો માર્ગ બતાવી
પંચમ કાળમાં અનેક જીવોનાં દુઃખ ટાળ્‌યાં છે; સુખધામ,
આનંદધામ આત્માને પ્રગટ કરવાનો માર્ગ સુગમ કર્યો છે.
પરમ પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર.
આ બધો પ્રતાપ શ્રી ગુરુદેવનો જ છે.
શ્રી કહાનગુરુદેવના ભૂતકાળના ભવો અને ભાવીકાળના