બહેનને સમ્યગ્દર્શન થયું હશે? નહિ તો ‘જૈન દર્શન સત્ય છે એમ મેં તો
જાણ્યું છે’ એવું, આટલા જોરપૂર્વક તે કેમ લખી શકે?” મેં પછી કાગળ
લખ્યોઃ“બહેન ચંપા! તું લખે છે કે ‘જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું
છે’ તો શું તને સમકિત થયું છે? કારણ કે સમકિત વિના આટલા જોરપૂર્વક
આવા શબ્દો નીકળે નહિ.” તેનો પત્ર આવ્યો કે-‘આત્માને પરિભ્રમણનો
કિનારો આવી ગયો છે.’ તે પત્રમાં બીજું વિશેષ શું લખેલ તે અત્યારે
ખ્યાલમાં નથી, કારણ કે તે પત્ર ખોવાઈ ગયો છે. “સંસાર દુઃખમય છે...જૈન
દર્શન સત્ય છે...પ્રમાદ કર્તવ્ય નથી.”-એમ જેમાં લખ્યું હતું તે પોસ્ટ કાર્ડ તો
હજી પડયું છે. પેલા બીજા પત્રમાંનું એક વાક્ય-‘આ આત્માને પરિભ્રમણનો
કિનારો આવી ગયો છે’ એટલું મને યાદ રહી ગયું છે, આગળપાછળ નું
લખાણ યાદ નથી. બહેનશ્રીએ ‘સમકિત થયું છે’-એમ ન લખ્યું; પોતે નમ્ર
ને! તેથી નમ્રતાભાવથી ભરેલા માત્ર એટલા શબ્દો નીકળ્યા કે ‘આ આત્માને
પરિભ્રમણનો કિનારો આવી ગયો છે.’
સાવ ભિન્ન લાગે, પરનો ને વિભાવનો કર્તાભાવ છૂટી જાય, સિદ્ધભગવાનના
અતીન્દ્રિય સુખની વાનગી પ્રગટે ને અંતરમાં આનંદના સાગર ઊછળે.’-
એમ, કહેવા જેટલું કહ્યું.
પણ હતી. બહેનશ્રીનો વિચાર તે વાત ગુરુદેવને એકાન્તમાં કહેવાનો હતો. તે
વખતે એકાન્ત ન મળ્યું એટલે અમે પાછાં આવ્યાં. પછી, મારું વેકેશન પૂરું
થઈ ગયું એટલે હું તો સુરત ગયો.
છું’ એમ તેમણે કહ્યું. બહેનશ્રીએ તે અવસર લઈ લીધો અને કહ્યું કે