મળવામાં તો કાંઈ ન્યૂનતા રહી નથી; હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો
રહે છે. સ્વાનુભૂતિયુગપ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો, ચેતનને જગાડનારો
સ્વાનુભૂતિભર્યો મધુર રણકાર વર્ષો સુધી આપણને સાંભળવા મળ્યો, તેમ જ
આજે પણ પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીનાં સ્વાનુભૂતિરસતરબોળ સાહજિક
વચનામૃતોનું મધુર શ્રવણ મળી રહ્યું છે, તેના જેવું પરમ અહોભાગ્ય કયું?
હવે તો જે કાંઈ ખામી છે તે આપણા પુરુષાર્થની જ છે. જ્ઞાનીઓના પ્રતાપે
આપણને સાચો પુરુષાર્થ આવડી જાય-એ જ અંતરની ભાવના છે.
હૃદયમાં સંસ્થાપિત રહો.