Benshreeno Gnan Vaibhav (Gujarati). Upodghat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 166

 

background image
नमः श्रीसर्वज्ञवीतरागाय
* ઉપોદ્ઘાત *
ભારતવર્ષના ધર્મજિજ્ઞાસુ જીવોના મહાન ભાગ્યોદયે આ
પ્રવર્તમાન વીસ-એકવીસમી શતાબ્દીમાં અધ્યાત્મમૂર્તિ
આત્મજ્ઞસંત સત્પુરુષ પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો, સ્વાનુભૂતિપ્રધાન સદ્ધર્મનો પુનઃ અભ્યુદય
કરવા, મહાન ઉદય થયો. પૂર્વના પ્રબળ સંસ્કાર,
ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસારના ગહન અધ્યયન
અને પોતાના જ્ઞાન, વૈરાગ્ય ને ઉપશમ રસભીના અંતર્મુખ
સાતિશય પુરુષાર્થ વડે તેમણે સ્વાનુભવરસઝરતી
આત્મસાધના સાધીને પોતાનાં વ્યાખ્યાનોમાં શ્રી વીર-કુંદ-
અમૃતપ્રરૂપિત અધ્યાત્મધર્મનો પરમ ઉધોત કર્યો, જેથી ઘણા
જીવો તે સમજવા માટે તૈયાર થઇ ગયા. વીતરાગ મોક્ષમાર્ગને
અત્યંત સ્પષ્ટપણે સમજાવનાર આવા સમર્થ ગુરુદેવ આ
વિષમ કાળે મળ્‌યા તે મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. ખરેખર
ગુરુદેવનો ઉપકાર અમાપ છે.
આગમ, યુક્તિ ને સ્વાનુભવના વજ્રખડક ઉપર
અડગપણે ઊભા રહીને શ્રી જિનેંદ્રદેવનું તાત્ત્વિક હાર્દ પ્રકાશિત
કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પ્રબળ વાણીના
પુનિત યોગે ૧૮ વર્ષની બાળાવયમાં જેમણે અતીન્દ્રિય-
આનંદઝરતો