જાતિસ્મરણજ્ઞાન પ૭
________________________________________________________
સર્વપ્રત્યક્ષ, પાણીનું પુર વગેરે કેટલીક ત્યાંની ભાષા છે.
આ ભાષાનો પ્રકાર સાવ સહજ યાદ આવે છે. (આ વિષે
સ્પષ્ટ સ્મરણ ચૈત્ર વદ છઠને સવારે સાડા દશે આવ્યું)
નૌવલપુરમાં રાજકુમાર સાથે હું અને લાભભાઈ કોઈ કોઈ
વાર ફરવા જતા. જે રસ્તેથી સેના કુંડલપુર તરફ ગઈ હતી તેનો
આજુબાજુનો રસ્તો હોય તેમ જણાય છે.
વિરાધનાના પ્રકાર વખતે દેવાભાઈને એટલે મને જ્ઞાનના
પ્રયત્નનો કિનારો નથી, સ્થિરતાના પ્રયત્નનો કિનારો છે-આવા
ભાવો થઈને જ્ઞાન પ્રત્યે પાછળથી પરિણામમાં નિષેધ જેવો ભાવ
આવી જતો.
ઉપરનો નિષેધના ભાવવાળો અભિપ્રાય લાભભાઈને પણ
બેસતો લાભભાઈ કહેતાઃ દેવાભાઈ! તમારી વાત સાચી છે.
વિરાધનાનો આ એક પ્રકાર લખ્યો, બાકી પરિણામમાં મંદતા-
તીવ્રતા સર્વના ભાવમાં રહી હોય તે જુદી વાત છે.
(અજ) બાહુ સાથે રાજકુમારને મેળ થયો તે મને તથા
લાભભાઈને રુચ્યું નહિ. હું તથા લાભભાઈ તે વિષે ખાનગી
વાત કરતા. શું વાત કરતા તે યાદ આવતું નથી. અમારા
અભિપ્રાયો અમે રાજકુમારને તથા (અજ) બાહુને જણાવતા
નહોતા; તે વર્તનમાં અમારાથી માયા થઈ છે તેમ જણાય છે.
આમ થવા છતાં અમને રાજકુમાર પ્રત્યે મહિમા હતી.
માયાના બીજા કોઈ વિશેષ પ્રકારો થાય છે કે કેમ તે યાદ