પ૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
આવતું નથી.
આ બધું સહજ યાદ આવ્યું તે જણાવ્યું છે.
નૌવલપુરમાં કોઈ એક સ્થાને હું, રાજકુમાર તથા
લાભભાઈ ધાર્મિક વાત કરતા હતા.
હું દેવલોકમાં દેવ હતો ત્યારે, ભગવાનની ત્યાં દેવલોકમાં
પ્રતિમા હતી તેનાં દર્શન કરવા જતો; દેવીઓ વગેરે તીર્થંકરનો
ઓચ્છવ કરવા કયાંક જતાં હોય તેમ યાદ આવે છે.
હું જતો હતો કે નહિ તે યાદ આવતું નથી, તે વિષે વિશેષ
યાદ આવતું નથી.
એક વાર દેવાભાઈ એટલે મેં, શ્રી શંભુ સિવાયના બીજા
કોઈ ગણધર ત્યાં અધ્ધરથી નીચે આવતા હતા, તેમને જોઈને
કહ્યુંઃ
પધારો જિનરાજ! પધારો. આ પ્રમાણે સહજ યાદ આવે છે.
શ્રી સીમંધર ભગવાન કોઈ એક વૃક્ષ નીચે કેવળજ્ઞાન
પામ્યા છે એમ શ્રી ગણધરદેવ કહેતા હતા.
પ્રભુની ધ્વનિનો અવાજ કયા દ્વારથી બહાર નીકળતો હતો
તે યાદ આવતું નથી.
આ બધું ઉપરનું સ્મરણ ચૈત્ર વદી છઠને સવારે સાડાદશે
લગભગ આવ્યું હતું.
આ બધું, સહજ સ્મરણ આવ્યું તે લખ્યું છે.