અથવા ધારણા હોતી નથી છતાં પણ મતિની કોઈ એવી
નિર્મળતારૂપ સ્થિરતાને કારણે-સ્મરણ સાથેની નિર્મળતાને
કારણે-(જોકે અરૂપી આતમા દેખાતો નથી તોપણ) વર્તમાન
એની દેહપર્યાય ખ્યાલમાં હોય ને પૂર્વની દેહપર્યાય પણ જોયેલી
હોય, પરિચયમાં હોય, તેથી પૂર્વે જે પુરુષ જોયો હતો તે જ આ
પુરુષ છે તેમ જાણી શકાય છે, ઓળખી શકાય છે.
નિર્મળતારૂપ સ્થિરતાને કારણે જ્ઞાનમાં સહજ સચોટપણે
નિઃસંદેહપણે પકડાઈ જાય છે. તે આત્મા સીધો અહીં જન્મ
પામેલ છે કે બીજે કયાંય વચ્ચે ગયેલ તે પણ જણાય છે; જો
સીધો આવેલ હોય તો પૂર્વના પુરુષની ને અત્યારના પુરુષની
સીધી સંધિ, જ્ઞાનમાં આવે છે; નહિ તો સીધી સંધિ આવતી નથી
પણ વચ્ચે આડું કયાંય ગયેલ હોય તેમ જ્ઞાનમાં આવે છે.
છતાં વર્તમાન તેમનાથી દૂર પડયા તે પૂર્વ પરિણતિનો દોષ છે.