Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 86 of 153
PDF/HTML Page 99 of 166

 

background image
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
મહિમા પ્રકાશનાર, તેનું ગહન સ્વરૂપ બતાવનાર, મુક્તિ માર્ગને
બતાવનાર એવા કહાન ગુરુદેવના ગુણોનું શું વર્ણન થાય!
સમયસાર, પ્રવચનસાર વગેરે સર્વ શાસ્ત્રોનું ગહન રહસ્ય
પ્રકાશક, ઊંડા અર્થો ઉકેલનાર, ચૈતન્યદ્રવ્યની અનુપમ મહિમાનું
ભાન કરાવનાર, સમ્યક્ માર્ગે દોરનાર, જેમના મુખકમળથી
અમૃતધારા વરસે છે, જેમના ચૈતન્યના પ્રદેશે પ્રદેશે શ્રુતજ્ઞાનના
દીપક પ્રકાશી રહ્યા છે, શ્રુતની પર્યાયો પ્રગટી રહી છે, જેઓ
શ્રુતરસમાં તરબોળ છે,-એવા જ્ઞાનાવતારી મહિમાવંત દિવ્યમૂર્તિ
કહાનગુરુદેવ આ ભારતમાં અજોડ છે. તે દિવ્યમૂર્તિના દર્શનથી,
જેમની શ્રુતધારાના દર્શનથી-શ્રવણથી ચૈતન્યમાં સુખાદિ નિધિ
પ્રગટે એવા ગુરુદેવનાં ચરણકમળમાં હૃદય વારંવાર નમી પડે છે,
અંતર ઊલસી પડે છે.
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર પરમ
ભક્તિથી વંદન હો.
૨૦૧૮, જેઠ સુદ સાતમે એમ સ્વપ્ન આવ્યું હતું કે-
પૂ. ગુરુદેવની વાણીનો અનુપમેય સૌષ્ઠવ ઝરો અને
ભાગ્યનો કાળ.
આ સ્વપ્ન સવારે સવા પાંચ વાગ્યે આવેલું.
**
૨૦૨૨, ફાગણમાં લખાયેલ.