બતાવનાર એવા કહાન ગુરુદેવના ગુણોનું શું વર્ણન થાય!
ભાન કરાવનાર, સમ્યક્ માર્ગે દોરનાર, જેમના મુખકમળથી
અમૃતધારા વરસે છે, જેમના ચૈતન્યના પ્રદેશે પ્રદેશે શ્રુતજ્ઞાનના
દીપક પ્રકાશી રહ્યા છે, શ્રુતની પર્યાયો પ્રગટી રહી છે, જેઓ
શ્રુતરસમાં તરબોળ છે,-એવા જ્ઞાનાવતારી મહિમાવંત દિવ્યમૂર્તિ
કહાનગુરુદેવ આ ભારતમાં અજોડ છે. તે દિવ્યમૂર્તિના દર્શનથી,
જેમની શ્રુતધારાના દર્શનથી-શ્રવણથી ચૈતન્યમાં સુખાદિ નિધિ
પ્રગટે એવા ગુરુદેવનાં ચરણકમળમાં હૃદય વારંવાર નમી પડે છે,
અંતર ઊલસી પડે છે.
પૂ. ગુરુદેવની વાણીનો અનુપમેય સૌષ્ઠવ ઝરો અને