Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 32 : Bandha Padarthanu Kathan (Bhavabandha Ane Dravyabandhanu Swaroop).

< Previous Page   Next Page >


Page 102 of 272
PDF/HTML Page 114 of 284

 

background image
दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव बावण्णहीण बियसयपयडिविणासेण होंति ते
सिद्धा ।।।। (પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, બે વેદનીયની, અઠાવીસ
મોહનીયની, ચાર આયુની, ત્રાણું નામની, બે ગોત્રની અને પાંચ અંતરાયનીએ રીતે
એકસો અડતાળીસ પ્રકૃતિઓના નાશથી સિદ્ધ થાય છે.)’’એ ગાથામાં કહેલા ક્રમથી
એકસો અડતાળીસ ઉત્તર પ્રકૃતિરૂપ ભેદથી, અને અસંખ્યાત લોકપ્રમાણ પૃથ્વીકાય
નામકર્મ આદિ ઉત્તરોત્તર પ્રકૃતિરૂપ ભેદથી અનેક ભેદવાળો છે, એમ ‘जिणक्खादो’ શ્રી
જિનેન્દ્રદેવે કહ્યું છે. ૩૧.
આ રીતે, આસ્રવના વ્યાખ્યાનની ત્રણ ગાથાઓથી પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
હવે, બે ગાથાઓથી બંધનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ગાથાના પૂર્વાર્ધથી ભાવબંધ
અને ઉત્તરાર્ધથી દ્રવ્યબંધનું સ્વરૂપ કહે છેઃ
ગાથા ૩૨
ગાથાર્થઃજે ચેતનભાવથી કર્મ બંધાય છે તે ભાવબંધ છે અને કર્મ તથા
णव दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव बावण्णहीण बियसयपयडिविणासेण होंति
ते सिद्धा ।।।।’’ इति गाथाकथितक्रमेणाष्टचत्वारिंशदधिकशतसंख्याप्रमितोत्तरप्रकृतिभेदेन तथा
चासंख्येयलोकप्रमितपृथिवीकायनामकर्माद्युत्तरोत्तरप्रकृतिरूपेणानेकभेद इति ‘‘जिणक्खादो’’
जिनख्यातो जिनप्रणीत इत्यर्थः
।।३१।। एवमास्रवव्याख्यानगाथात्रयेण प्रथमस्थलं गतम्
अतः परं सूत्रद्वयेन बन्धव्याख्यानं क्रियते तत्रादौ गाथापूर्वार्धेन भावबन्धमुत्तरार्धेन
तु द्रव्यबन्धस्वरूपमावेदयति :
बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधो सो
कम्मादपदेसाणं अण्णोण्णपवेसण इदरो ।।३२।।
बध्यते कर्म्म येन तु चेतनभावेन भावबन्धः सः
कर्म्मात्मप्रदेशानां अन्योन्यप्रवेशनं इतरः ।।३२।।
૧. સિદ્ધભક્તિ ગાથા ૮.
જિસ ચેતન - પરિણામહ કર્મ, બંધિહૈ ભાવબંધ સો મર્મ;
આતમ - કર્મ - દેશ - પરવેશ, આપસ માહિ દ્રવ્ય યહ દેશ. ૩૨.
૧૦૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ