છે, તેવો જ ક્રમથી જ્ઞાનાવરણ આદિ આઠે કર્મોનો સ્વભાવ જાણવો.’’ એ આઠ દ્રષ્ટાંતથી
પ્રકૃતિબંધ જાણવો.
બકરી, ગાય, ભેંસ આદિના દૂધમાં જેવી રીતે બે પહોર વગેરે સુધી પોતાના મધુર
રસમાં રહેવાની કાળની મર્યાદા છે તેને સ્થિતિ કહેવાય છે, તેમ જીવના પ્રદેશોમાં જેટલા
કાળ સુધી કર્મસંબંધરૂપે સ્થિતિ છે, તેટલા કાળને સ્થિતિબંધ જાણવો.
જેવી રીતે તેમનાં જ દૂધમાં તારતમ્યપણે રસસંબંધી શક્તિવિશેષને (ચીકાશ,
મીઠાશને) અનુભાગ કહેવામાં આવે છે, તેવી રીતે જીવના પ્રદેશો ઉપર રહેલા કર્મના
સ્કંધોમાં પણ સુખ કે દુઃખ દેવાની શક્તિવિશેષને અનુભાગબંધ જાણવો. ઘાતીકર્મ સાથે
સંબંધ રાખનારી તે શક્તિ વેલ, કાષ્ઠ, હાડકાં અને પથ્થરના ભેદથી ચાર પ્રકારની છે.
તેવી જ રીતે અશુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી શક્તિ નીમ, કાળીજીરી, વિષ તથા
હાલાહલરૂપના ભેદથી ચાર પ્રકારની છે, અને શુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી
શક્તિ ગોળ, ખાંડ, સાકર અને અમૃતરૂપ ચાર પ્રકારની છે.
આત્માના એકેક પ્રદેશ ઉપર સિદ્ધોના અનંતમા ભાગપ્રમાણ અને અભવ્ય જીવોની
સંખ્યાથી અનંતગુણા એવા અનંતાનંત પરમાણુઓ પ્રત્યેક ક્ષણે બંધ પામે છે, તે પ્રદેશબંધ છે.
હવે, બંધનું કારણ કહે છે. ‘जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो
हुंति ।’ યોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.
एदेसिं भावा तहवि य कम्मा मुणेयव्वा ।।१।।’’ इति दृष्टान्ताष्टकेन प्रकृतिबन्धो ज्ञातव्यः ।
अजागोमहिष्यादिदुग्धानां प्रहरद्वयादिस्वकीयमधुररसावस्थानपर्यन्तं यथा स्थितिर्भण्यते, तथा
जीवप्रदेशेष्वपि यावत्कालं कर्मसम्बन्धेन स्थितिस्तावत्कालं स्थितिबन्धो ज्ञातव्यः । यथा च
तेषामेव दुग्धानां तारतम्येन रसगतशक्तिविशेषोऽनुभागो भण्यते तथा जीवप्रदेश-
स्थितकर्मस्कन्धानामपि सुखदुःखदानसमर्थशक्तिविशेषोऽनुभागबन्धो विज्ञेयः । सा च
घातिकर्मसम्बंधिनी शक्तिर्लतादार्वस्थिपाषाणभेदेन१ चतुर्धा । तथैवाशुभघातिकर्मसम्बंधिनी
निम्बकाञ्जीरविषहालाहलरूपेण, शुभाघातिकर्मसम्बन्धिनी पुनर्गुडखण्डशर्करामृतरूपेण चतुर्धा
भवति । एकैकात्मप्रदेशे सिद्धानन्तैकभागसंख्या अभव्यानंतगुणप्रमिता अनंतानंतपरमाणवः
प्रतिक्षणबंधमायांतीति प्रदेशबंधः । इदानीं बंधकारणं कथ्यते । ‘‘जोगा पयडिपदेसा
ठिदिअणुभागा कसायदो हुंति ।’’ योगात्प्रकृतिप्रदेशौ, स्थित्यनुभागौ कषायतो भवत इति ।
१ ‘शक्तिभेदेन’ इति पाठान्तरं
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૦૫