ગાથામાં ભાવસંવર૧ અને દ્રવ્યસંવરનું૧ સ્વરૂપ કહે છેઃ —
ગાથા ૩૪
ગાથાર્થઃ — આત્માનો જે પરિણામ કર્મના આસ્રવને રોકવામાં કારણ છે, તેને
ભાવસંવર કહે છે અને જે દ્રવ્યાસ્રવનું રોકાવું તે દ્રવ્યસંવર છે.
ટીકાઃ — ‘चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदू सो भावसंवरो खलु’ જે
ચેતન પરિણામ, કેવો? કર્મોના આસ્રવને રોકવામાં કારણ છે તે, ખરેખર નિશ્ચયથી
ભાવસંવર છે. ‘दव्वासवरोहणे अण्णो’ દ્રવ્યકર્મના આસ્રવનો નિરોધ થતાં બીજો
દ્રવ્યસંવર થાય છે. તે આ રીતે છેઃ — નિશ્ચયથી સ્વતઃસિદ્ધ હોવાથી અન્ય કારણની
અપેક્ષારહિત, અવિનશ્વર હોવાથી નિત્ય, પરમ પ્રકાશરૂપ સ્વભાવ હોવાથી સ્વપરને
પ્રકાશવામાં સમર્થ, અનાદિ – અનંત હોવાથી આદિ, મધ્ય અને અંતરહિત, દ્રષ્ટ, શ્રુત
અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધાદિ સમસ્ત રાગાદિ વિભાવમળથી
રહિત હોવાને લીધે અત્યંત નિર્મળ, પરમચૈતન્યવિલાસરૂપ લક્ષણ હોવાથી
ચિદ્ઉચ્છલનથી (ચૈતન્યના ઊછળવાથી) ભરપૂર, સ્વાભાવિક પરમાનંદ એક લક્ષણ
હોવાથી પરમસુખની મૂર્તિ, આસ્રવરહિત સહજ સ્વભાવ હોવાથી સર્વ કર્મોનો સંવર
चेतनपरिणामः यः कर्म्मणः आस्रवनिरोधने हेतुः ।
सः भावसंवरः खलु द्रव्यास्रवरोधनः अन्यः ।।३४।।
व्याख्या — ‘‘चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदू सो भावसंवरो
खलु’’ चेतनपरिणामो यः, कथंभूतः ? कर्मास्रवनिरोधने हेतुः स भावसंवरो भवति खलु
निश्चयेन । ‘‘दव्वासवरोहणे अण्णो’’ द्रव्यकर्मास्रवनिरोधने सत्यन्यो द्रव्यसंवर इति ।
तद्यथा — निश्चयेन स्वतः सिद्धत्वात्परकारणनिरपेक्षः, स चैवाविनश्वरत्वान्नित्यः
परमोद्योतस्वभावत्वात्स्वपरप्रकाशनसमर्थः, अनाद्यनन्तत्वादादिमध्यान्तमुक्तः, दृष्ट-
श्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धादिसमस्तरागादिविभावमलरहितत्वादत्यन्तनिर्मलः, परम-
चैतन्यविलासलक्षणत्वादुच्छलननिर्भरः, स्वाभाविकपरमानन्दैकलक्षणत्वात्परमसुखमूर्तिः,
निरास्रवसहजस्वभावत्वात्सर्वकर्मसंवरहेतुरित्युक्तलक्षणः परमात्मा तत्स्वभावभावेनोत्पन्नो योऽसौ
૧ભાવસંવર અને દ્રવ્યસંવરની શરૂઆત ચતુર્થ ગુણસ્થાનથી થાય છે; અને ચૌદમે ગુણસ્થાને આસ્રવનો
સર્વથા અભાવ થતાં સર્વસંવર હોય છે.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૦૭