કરવામાં કારણ – આવાં લક્ષણોવાળો પરમાત્મા૧ છે. તેના સ્વભાવભાવથી૧ ઉત્પન્ન જે
શુદ્ધચેતનપરિણામ છે તે ભાવસંવર છે. અને જે, કારણરૂપ ભાવસંવરથી ઉત્પન્ન થયેલ
કાર્યરૂપ નવાં દ્રવ્યકર્મોના આગમનનો અભાવ, તે દ્રવ્યસંવર છે.
હવે, સંવરના વિષયમાં નયવિભાગનું કથન કરે છેઃ — મિથ્યાત્વ ગુણસ્થાનથી
માંડીને ક્ષીણકષાય ગુણસ્થાન સુધી ઉપર ઉપર મંદપણું હોવાથી તારતમ્યતાથી અશુદ્ધ નિશ્ચય
વર્તે છે. તેમાં ગુણસ્થાનના ભેદથી શુભ, અશુભ અને શુદ્ધ અનુષ્ઠાનરૂપ (આચરણરૂપ) ત્રણ
પ્રકારના ઉપયોગનો વ્યાપાર હોય છે. તે કહેવામાં આવે છે — મિથ્યાદ્રષ્ટિ, સાસાદન અને
મિશ્ર — એ ત્રણ ગુણસ્થાનોમાં ઉપર ઉપર મંદપણે અશુભ ઉપયોગ હોય છે. તેનાથી આગળ
અસંયત સમ્યગ્દ્રષ્ટિ, શ્રાવક અને પ્રમત્તસંયત એ ત્રણ ગુણસ્થાનોમાં૨ પરંપરાએ
શુદ્ધોપયોગનો સાધક ઉપર ઉપર તારતમ્યતાથી શુભોપયોગ હોય છે. ત્યારપછી અપ્રમત્તથી
शुद्धचेतनपरिणामः स भावसंवरो भवति । यस्तु भावसंवरात्कारणभूतादुत्पन्नः कार्यभूतो
नवतरद्रव्यकर्मागमनाभावः स द्रव्यसंवर इत्यर्थः ।
अथ संवरविषयनयविभागः कथ्यते । तथाहि — मिथ्यादृष्टयादिक्षीणकषाय-
पर्यन्तमुपर्युपरि मन्दत्वात्तारतम्येन तावदशुद्धनिश्चयो वर्त्तते । तस्य मध्ये पुनर्गुणस्थानभेदेन
शुभाशुभशुद्धानुष्ठानरूपउपयोगत्रयव्यापारस्तिष्ठति । तदुच्यते — मिथ्यादृष्टिसासादनमिश्र-
गुणस्थानेषूपर्युपरि मन्दत्वेनाशुभोपयोगो वर्तते, ततोऽप्यसंयतसम्यग्दृष्टिश्रावकप्रमत्तसंयतेषु
पारम्पर्येण शुद्धोपयोगसाधक उपर्युपरि तारतम्येन शुभोपयोगो वर्तते, तदनन्तरमप्रमत्तादि-
૧. શુદ્ધચૈતન્યસ્વરૂપ ત્રિકાળધ્રુવજ્ઞાયકસ્વભાવ આત્મા જે શ્રી સમયસાર ગાથા ૬ માં કહ્યો છે, તેની આ
વિસ્તારમય વ્યાખ્યા છે. તે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ સદા આશ્રય કરવા યોગ્ય હોવાથી સર્વ પ્રકારે ઉપાદેય
છે.
૨. જ્યાં ચારિત્રગુણની આંશિક શુદ્ધિ હોય ત્યાં તેની સાથે વર્તતા શુભોપયોગને પરંપરાએ શુદ્ધોપયોગનો સાધક
કહેવામાં આવે છે. ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને તેની ભૂમિકા અનુસાર શુદ્ધિ હોય છે. જુઓ,
છઠ્ઠા ગુણસ્થાન ધારક મુનિસંબંધી પ્રવચનસાર ગાથા ૨૪૫ – ૨૪૬ બન્ને આચાર્યોની ટીકા.
શ્રી પ્રવચનસાર ગાથા ૨૪૭ની શ્રી જયસેનાચાર્યદેવ કૃત ટીકામાં મુનિની અપેક્ષાએ ‘शुद्धोपयोगसाधके
शुभोपयोगे’ શબ્દો કહ્યા છે. અહીં (શ્રી દ્રવ્યસંગ્રહની ટીકામાં) તો ચોથે, પાંચમે અને છઠ્ઠે — એમ ત્રણે
ગુણસ્થાને ‘શુદ્ધોપયોગસાધક શુભોપયોગ’ કહેલ છે; તેથી તદ્દન સ્પષ્ટ થાય છે કે, એ ત્રણે ગુણસ્થાને
આંશિક શુદ્ધ પરિણતિ હોય જ છે; કારણ કે જ્યાં આંશિક શુદ્ધિ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં
શુદ્ધોપયોગના સાધકપણાનો આરોપ પણ ઘટતો નથી.
૧૦૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ