Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 272
PDF/HTML Page 260 of 284

 

background image
ગાથા ૫૬
ગાથાર્થઃ(હે ભવ્યો!) કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ
પણ ચિંતવન ન કરો, જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ
(આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે.
ટીકાઃ‘‘मा चिट्ठइ मा जंपह मा चिंतह किंवि’’ હે વિવેકી પુરુષો! નિત્ય નિરંજન
અને નિષ્ક્રિય એવા નિજ શુદ્ધાત્માની અનુભૂતિને રોકનાર શુભાશુભ ચેષ્ટારૂપ કાયવ્યાપાર,
શુભાશુભ અંતર્બહિર્જલ્પરૂપ વચન
- વ્યાપાર અને શુભાશુભ વિકલ્પજાળરૂપ ચિત્ત - વ્યાપાર
જરા પણ ન કરો; ‘‘जेण होइ थिरो’’ જેથી અર્થાત્ ત્રણે યોગના નિરોધથી સ્થિર થાય છે.
કોણ? ‘‘अप्पा’’ આત્મા. કેવો સ્થિર થાય છે? ‘‘अपग्मि रओ’’ સહજશુદ્ધ
જ્ઞાનદર્શનસ્વભાવી પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાનજ્ઞાનઆચરણરૂપ અભેદરત્નત્રયાત્મક
પરમસમાધિથી ઉત્પન્ન, સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર સુખના આસ્વાદરૂપ
પરિણતિસહિત નિજાત્મામાં રત
પરિણતતલ્લીનતચ્ચિત્તતન્મય થાય છે. ‘‘इणमेव परं
हवे ज्झाणं’’ આ જે આત્માના સુખસ્વરૂપમાં તન્મયપણું તે જ નિશ્ચયથી પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ
ધ્યાન છે.
તે પરમધ્યાનમાં સ્થિત જીવોને જે વીતરાગ પરમાનંદરૂપ સુખનો પ્રતિભાસ થાય
मा चेष्टत मा जल्पत मा चिन्तयत किम् अपि येन भवति स्थिरः
आत्मा आत्मनि रतः इदं एव परं ध्यानं भवति ।।५६।।
व्याख्या‘‘मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि’’ नित्यनिरञ्जननिष्क्रियनिज-
शुद्धात्मानुभूतिप्रतिबन्धकं शुभाशुभचेष्टारूपं कायव्यापारं, तथैव शुभाशुभान्तर्बहिर्जल्परूपं
वचनव्यापारं, तथैव शुभाशुभविकल्पजालरूपं चित्तव्यापारं च किमपि मा कुरुत हे
विवेकीजनाः ! ‘‘जेण होइ थिरो’’ येन योगत्रयनिरोधेन स्थिरो भवति
स कः ? ‘‘अप्पा’’
आत्मा कथम्भूतः स्थिरो भवति ? ‘‘अप्पम्मि रओ’’ सहजशुद्धज्ञानदर्शनस्वभावपरमात्म-
तत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुद्भूतसर्वप्रदेशाह्लादजनक-
सुखास्वादपरिणतिसहिते निजात्मनि रतः परिणतस्तल्लीयमानस्तच्चित्तस्तन्मयो भवति
‘‘इणमेव परं हवे ज्झाणं’’ इदमेवात्मसुखस्वरूपे तन्मयत्वं निश्चयेन परमुत्कृष्टं ध्यानं भवति
तस्मिन् ध्याने स्थितानां यद्वीतरागपरमानन्दसुखं प्रतिभाति, तदेव
૨૪૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ