Bruhad Dravya Sangrah (Gujarati). Shubhashubh Man-Vachan-Kayana Nirodharoop Param Dhyananu Swaroop.

< Previous Page   Next Page >


Page 247 of 272
PDF/HTML Page 259 of 284

 

background image
વશે ચિત્ત સ્થિર થઈ જાય છે ત્યારે શુદ્ધબુદ્ધએકસ્વભાવી નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ જ
ધ્યેય હોય છે. વળી, ‘નિસ્પૃહ’ શબ્દથી, મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા (એ છ) અને ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર)
એ ચૌદ અભ્યંતર
પરિગ્રહથી રહિત અને ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કુપ્ય અને
ભાંડ
એ દશ બહિરંગ પરિગ્રહોથી રહિત એવું ધ્યાતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
‘એકાગ્રચિંતાનિરોધ’ પદથી, પૂર્વોક્ત જુદાજુદા પ્રકારના ધ્યેયભૂત (ધ્યાન કરવા યોગ્ય)
પદાર્થોમાં સ્થિરતાને
નિશ્ચલતાને ધ્યાનનું લક્ષણ કહ્યું છે. ‘નિશ્ચય’ શબ્દથી, પ્રાથમિક
(પુરુષ)ની અપેક્ષાએ વ્યવહારરત્નત્રયને અનુકૂળ એવો નિશ્ચય સમજવો અને જેને યોગ
નિષ્પન્ન થયો છે, એવા પુરુષની અપેક્ષાએ શુદ્ધોપયોગરૂપ વિવક્ષિતએકદેશશુદ્ધનિશ્ચય
સમજવો. વિશેષ નિશ્ચયનું કથન આગળ કરવાનું છે.
આ પ્રમાણે સૂત્રાર્થ છે. ૫૫.
હવે, શુભાશુભ મન
વચનકાયાનો નિરોધ કરતાં આત્મામાં સ્થિર થાય છે તે જ
પરમધ્યાન છે, એમ ઉપદેશે છેઃ
शुद्धबुद्धैकस्वभावनिजशुद्धात्मस्वरूपमेव ध्येयमित्युक्तं भवति निस्पृहवचनेन पुनर्मिथ्यात्वं
वेदत्रयं हास्यादिषट्कक्रोधादिचतुष्टयरूपचतुर्दशाऽभ्यन्तरपरिग्रहेण तथैव क्षेत्रवास्तुहिरण्यसुवर्ण-
धनधान्यदासीकुप्यभाण्डाऽभिधानदशविधबहिरङ्गपरिग्रहेण च रहितं ध्यातृस्वरूपमुक्तं भवति
एकाग्रचिन्तानिरोधेन च पूर्वोक्तविविधध्येयवस्तुनि स्थिरत्वं निश्चलत्वं ध्यानलक्षणं
भणितमिति निश्चयशब्देन तु प्राथमिकापेक्षया व्यवहाररत्नत्रयानुकूलनिश्चयो ग्राह्यः,
निष्पन्नयोगपुरुषापेक्षया तु शुद्धोपयोगलक्षणविवक्षितैकदेशशुद्धनिश्चयो ग्राह्यः विशेषनिश्चयः
पुनरग्रे वक्ष्यमाणस्तिष्ठतीति सूत्रार्थः ।।५५।।
अथ शुभाशुभमनोवचनकायनिरोधे कृते सत्यात्मनि स्थिरो भवति तदेव
परमध्यानमित्युपदिशति :
मा चिट्ठह मा जंपह मा चिन्तह किंवि जेण होइ थिरो
अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणं ।।५६।।
१. ‘पूर्वोक्तद्विविधं’ पाठान्तरम्
મન - વચ - કાય - ચેસટા તજો, જિમ થિર ચિત્ત હોય નિજ ભજો;
આપા માહિ આપ રત સોય, પરમધ્યાન ઇમ કરતૈં હોય. ૫૬.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૭