Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 250 of 272
PDF/HTML Page 262 of 284

 

background image
નિત્યપદાર્થની પ્રાપ્તિ છે, તે જ પરમસમાધિ છે, તે જ પરમાનંદ છે, તે જ નિત્યાનંદ છે,
તે જ સહજાનંદ છે, તે જ સદાનંદ છે, તે જ શુદ્ધાત્મપદાર્થના અધ્યયનરૂપ છે, તે જ
પરમસ્વાધ્યાય છે, તે જ નિશ્ચયમોક્ષનો ઉપાય છે, તે જ એકાગ્રચિંતાનિરોધ છે, તે જ
પરમબોધ છે, તે જ શુદ્ધોપયોગ છે, તે જ પરમયોગ છે, તે જ ભૂતાર્થ છે, તે જ પરમાર્થ
છે, તે જ નિશ્ચય પંચાચાર છે, તે જ સમયસાર છે, તે જ અધ્યાત્મસાર છે, તે જ સમતા
આદિ નિશ્ચય
ષડ્આવશ્યકસ્વરૂપ છે, તે જ અભેદરત્નત્રયસ્વરૂપ છે, તે જ વીતરાગ
સામાયિક છે, તે જ પરમ શરણઉત્તમમંગળ છે, તે જ કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ
છે, તે જ સમસ્ત કર્મોના ક્ષયનું કારણ છે, તે જ નિશ્ચયચતુર્વિધ-આરાધના છે, તે જ
પરમાત્માની ભાવના છે, તે જ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સુખની અનુભૂતિ પરમકળા
છે, તે જ દિવ્યકળા છે, તે જ પરમ અદ્વૈત છે, તે જ પરમઅમૃતરૂપ પરમ
- ધર્મધ્યાન છે,
તે જ શુક્લધ્યાન છે, તે જ રાગાદિવિકલ્પરહિત ધ્યાન છે, તે જ નિષ્કલ ધ્યાન છે, તે
જ પરમ સ્વાસ્થ્ય છે, તે જ પરમ વીતરાગપણું છે, તે જ પરમ સામ્ય છે, તે જ પરમ
એકત્વ છે, તે જ પરમ ભેદજ્ઞાન છે, તે જ પરમ સમરસીભાવ છે;
ઇત્યાદિ, સમસ્ત
રાગાદિ વિકલ્પઉપાધિથી રહિત પરમ - આહ્લાદરૂપ એક સુખ જેનું લક્ષણ છે એવા
ધ્યાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગના વાચક અન્ય પણ પર્યાયવાચી નામો પરમાત્મતત્ત્વના
જ્ઞાનીઓ દ્વારા જાણવા યોગ્ય છે. ૫૬.
स एव नित्योपलब्धिः, स एव परमसमाधिः, स एव परमानन्दः, स एव नित्यानन्दः, स
एव सहजानन्दः, स एव सदानन्दः, स एव शुद्धात्मपदार्थाध्ययनरूपः, स एव परमस्वाध्यायः,
स एव निश्चयमोक्षोपायः, स एव चैकाग्रचिन्तानिरोधः, स एव परमबोधः, स एव
शुद्धोपयोगः, स एव परमयोगः, स एव भूतार्थः, स एव परमार्थः, स एव निश्चयपञ्चाचारः,
स एव समयसारः, स एवाध्यात्मसारः, तदेव समतादिनिश्चयषडावश्यकस्वरूपं, तदेवाभेद-
रत्नत्रयस्वरूपंः, तदेव वीतरागसामायिकं, तदेव परमशरणोत्तममङ्गलं, तदेव केवलज्ञानोत्पत्ति-
कारणं तदेव सकलकर्मक्षयकारणं, सैव निश्चयचतुर्विधाराधना, सैव परमात्मभावना, सैव
शुद्धात्मभावनोत्पन्नसुखानुभूतिरूपपरमकला, सैव दिव्यकला, तदेव परमाद्वैतं, तदेव परमामृत-
परमधर्मध्यानं, तदेव शुक्लध्यानं, तदेव रागादिविकल्पशून्यध्यानं, तदेव निष्कलध्यानं, तदेव
परमस्वास्थ्यं, तदेव परमवीतरागत्वं, तदेव परमसाम्यं, तदेव परमैकत्वं, तदेव परमभेदज्ञानं,
स एव परमसमरसीभावः इत्यादि समस्तरागादिविकल्पोपाधिरहितपरमाह्लादैकसुखलक्षण-
ध्यानरूपस्य निश्चयमोक्षमार्गस्य वाचकान्यन्यान्यपि पर्यायनामानि विज्ञेयानि भवन्ति
परमात्मतत्त्वविद्भिरिति
।।५६।।
૨૫૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ