Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 41 of 272
PDF/HTML Page 53 of 284

 

background image
पञ्चमहाव्रतेषु वर्त्तेते यदा तदा दुःस्वप्नादिव्यक्ताव्यक्तप्रमादसहितोऽपि षष्ठगुणस्थानवर्त्ती
प्रमत्तसंयतो भवति
स एव जलरेखादिसदृशसंज्वलनकषायमन्दोदये सति निष्प्रमदा-
शुद्धात्मसंवित्तिमलजनकव्यक्ताव्यक्तप्रमादरहितः सन्सप्तमगुणस्थानवर्ती अप्रमत्तसंयतो
भवति
स एवातीतसंज्वलनकषायमन्दोदये सत्यपूर्वपरमाह्लादैकसुखानुभूतिलक्षणा-
पूर्वकरणोपशमकक्षपकसंज्ञोऽष्टमगुणस्थानवर्ती भवति दृष्टश्रुतानुभूतभोगाकांक्षादिरूप-
समस्तसंङ्कल्पविकल्परहितनिजनिश्चलपरमात्मतत्त्वैकाग्रध्यानपरिणामेन कृत्वा येषां
जीवानामेकसमये ये परस्परं पृथक्कर्तुं नायान्ति ते वर्णसंस्थानादिभेदेऽप्यनिवृत्ति-
करणौपशमिकक्षपकसंज्ञा द्वितीयकषायाद्येकविंशतिभेदभिन्नचारित्रमोहप्रकृतिनामुपशमन-
क्षपणसमर्था नवमगुणस्थानवर्तिनो भवन्ति
सूक्ष्मपरमात्मतत्त्वभावनाबलेन सूक्ष्म-
कृष्टिगतलोभकषायस्योपशमकाः क्षपकाश्च दशमगुणस्थानवर्तिनो भवन्ति १०
परमोपशममूर्तिनिजात्मस्वभावसंवित्तिबलेन सकलोपशान्तमोहा एकादशगुणस्थानवर्तिनो
भवन्ति
११ उपशमश्रेणिविलक्षणेन क्षपकश्रेणिमार्गेण निष्कषायशुद्धात्मभावनाबलेन
પરિગ્રહની સંપૂર્ણપણે નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાંવર્તે છે ત્યારે, દુઃસ્વપ્ન આદિ વ્યક્ત
અને અવ્યક્ત પ્રમાદસહિત હોવા છતાં પણ, તે છઠ્ઠા ગુણસ્થાનવર્તી ‘પ્રમત્તસંયત’ છે. ૬.
તે જ જીવ જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોતાં પ્રમાદરહિત
શુદ્ધાત્માનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદરહિત વર્તતો થકો સાતમા
ગુણસ્થાનવર્તી ‘અપ્રમત્તસંયત’ છે. ૭. તે જ (જીવ) સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય
હોતાં અપૂર્વ (પરમ
આહ્લાદરૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા) ‘અપૂર્વકરણ
- ઉપશમક કે ક્ષપક’ નામના આઠમા ગુણસ્થાનવર્તી છે. ૮. દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત
ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત સંકલ્પવિકલ્પરહિત, નિજ નિશ્ચલ પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર
ધ્યાનના પરિણામની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી તેઓ,
વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં, ‘અનિવૃત્તિકરણ
ઉપશમક કે ક્ષપક’ સંજ્ઞાના
ધારક, અપ્રત્યાખ્યાનાવરણરૂપ દ્વિતીય કષાયાદિ એકવીસ પ્રકારની ચારિત્રમોહનીય કર્મની
પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા, નવમા ગુણસ્થાનવર્તી જીવ છે. ૯. સૂક્ષ્મ
પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી, સૂક્ષ્મ
અત્યંત કૃશ થયેલ લોભકષાયનો ઉપશમ કે ક્ષય
કરનારા જીવો દશમા ગુણસ્થાનવર્તી છે. ૧૦. પરમઉપશમમૂર્તિ નિજાત્માના સ્વભાવના
અનુભવના બળથી સંપૂર્ણ મોહનો ઉપશમ કરનાર (જીવો) અગિયારમા ગુણસ્થાનવર્તી છે.
૧૧. ઉપશમશ્રેણીથી વિલક્ષણ એવા ક્ષપકશ્રેણીના માર્ગે નિષ્કષાય શુદ્ધાત્માની ભાવનાના
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૧
6