Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 42 of 272
PDF/HTML Page 54 of 284

 

background image
क्षीणकषाया द्वादशगुणस्थानवर्तिनो भवन्ति १२ मोहक्षपणानन्तरमन्तर्मुहूर्तकालं
स्वशुद्धात्मसंवित्तिलक्षणैकत्ववितर्कावीचारद्वितीयशुक्लध्याने स्थित्वा तदनन्त्यसमये ज्ञानावरण-
दर्शनावरणान्तरायत्रयं युगपदेकसमयेन निर्मूल्य मेघपुञ्जरविनिर्गतदिनकर इव सकल-
विमलकेवलज्ञानकिरणैर्लोकालोकप्रकाशकास्त्रयोदशगुणस्थानवर्तिनो जिनभास्करा भवन्ति
१३
मनोवचनकायवर्गणालम्बनकर्मादाननिमित्तात्मप्रदेशपरिस्पन्दलक्षणयोगरहिताश्चतुर्दशगुणस्थान-
वर्तिनोऽयोगिजिना भवन्ति
१४ ततश्च निश्चयरत्नत्रयात्मक-कारणभूतसमयसारसंज्ञेन
परमयथाख्यातचारित्रेण चतुर्दशगुणस्थानातीताः ज्ञानावरणाद्यष्टकर्मरहिताः सम्यक्त्वाद्यष्ट-
गुणान्तर्भूतनिर्नामनिर्गोत्राद्यनन्तगुणाः सिद्धा भवन्ति
अत्राह शिष्य :केवलज्ञानोत्पत्तौ मोक्षकारणभूतरत्नत्रयपरिपूर्णतायां सत्यां तस्मिन्नेव
क्षणे मोक्षेण भाव्यं सयोग्ययोगिजिनगुणस्थानद्वये कालो नास्तीति ? परिहारमाह
यथाख्यातचारित्रं जातं परं किन्तु परमयथाख्यातं नास्ति अत्र दृष्टांतः यथा
चौरव्यापाराभावेऽपि पुरुषस्य चौरसंसर्गो दोषं जनयति तथा चारित्रविनाशक-
બળથી કષાયનો ક્ષય કરનારા જીવ બારમા ગુણસ્થાનવર્તી છે. ૧૨. મોહનો ક્ષય કર્યા પછી
અંતર્મુહૂર્ત કાળપર્યંત, સ્વશુદ્ધાત્મસંવિત્તિ (સંવેદન) જેનું લક્ષણ છે એવા ‘એકત્વવિતર્ક
અવીચાર’ નામના દ્વિતીય શુક્લધ્યાનમાં સ્થિર થઈને, તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ,
દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેનો એક સાથે એક સમયમાં નાશ કરીને, મેઘપટલમાંથી
નીકળેલા સૂર્યની જેમ સકળનિર્મળ કેવળજ્ઞાનનાં કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત
કરનારા, તેરમા ગુણસ્થાનવર્તી જિન ભાસ્કર છે. ૧૩. મન, વચન, કાયાની વર્ગણાનું જેને
આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે, એવા આત્મપ્રદેશોના
પરિસ્પંદનસ્વરૂપ જે યોગ, તેનાથી રહિત, ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી જિન છે. ૧૪.
અને ત્યારપછી નિશ્ચયરત્નત્રયાત્મક ‘કારણભૂત સમયસાર’ નામનું જે પરમ યથાખ્યાતચારિત્ર
છે, તેના વડે પૂર્વોક્ત ચૌદ ગુણસ્થાનથી અતીત થયેલા, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત
થયેલા તથા સમ્યક્ત્વાદિ આઠ ગુણોમાં અંતર્ભૂત, નિર્નામ, નિર્ગોત્ર આદિ અનંતગુણવાળા,
‘સિદ્ધો’ છે.
અહીં શિષ્ય પૂછે છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં મોક્ષના કારણભૂત રત્નત્રયની
પરિપૂર્ણતા થઈ ગઈ તો તે જ ક્ષણે મોક્ષ થવો જોઈએ. સયોગી અને અયોગીજિન નામના
બે ગુણસ્થાનનો કાળ રહેતો નથી. એ શંકાનો ઉત્તર આપે છેઃ
યથાખ્યાતચારિત્ર તો થયું,
પરંતુ પરમ યથાખ્યાતચારિત્ર નથી. અહીં દ્રષ્ટાન્ત છેજેમ કોઈ મનુષ્ય ચોરી કરતો નથી
૪૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ