કરીને છોડી દે છે. જ્ઞેયનો સંબંધ અસ્થિર છે, જ્ઞેયપરિણામ પણ છૂટી
જાય છે; તેથી જ્ઞેય, જ્ઞેયપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞેયને અવલંબનારી
શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. જ્ઞેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ,
પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે
રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે)
સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે)
સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો
નથી.
પ્રતિબિંબ છે. કર્મદ્રષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ
આત્મા પર થતો નથી.
પરને પોતા(રૂપ) માને છે પરંતુ પર તે પોતા(રૂપ) થતું નથી.
સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.