૯૦ ]
ચિદ્દવિલાસ
૬. (સંલાપ) – ગુણ – દોષ (સંબંધી) પૂછવું કે વારંવાર ભક્તિ –
સંલાપ ન કરે.
(૫૬ – ૬૧) હવે સમ્યક્ત્વનાં [છ] અભંગ કારણો લખીએ છીએ
ઃ – જે [સમ્યક્ત્વના] ભંગનાં કારણો પામીને ન ડગે તેને અભંગ કારણ
કહીએ; તેના છ ભેદઃ – ૧ રાજા, ૨. જનસમુદાય, ૩. બળવાન, ૪.
દેવ, ૫. પિતાદિક વડીલજનો (અને) ૬. માતાઃ — એ (સમ્યક્ત્વના)
અભંગપણામાં છે ભય (છે તેને) જાણતો રહે (અને) તેમના ભયથી
નિજધર્મ – જિનધર્મને ન તજે.
(૬૨ – ૬૭) હવે સમ્યક્ત્વનાં છ સ્થાનો લખીએ છીએ – ✽
૧. જીવ છે, ૨. નિત્ય, ૩. કર્તા, ૪. ભોક્તા, ૫. અસ્તિધ્રુવ
(મોક્ષ) અને ૫. (મોક્ષનો) ઉપાય.
૧. આત્મા અનુભવસિદ્ધ છે ચેતનામાં ચિત્ત લીન કરે; જીવ અસ્તિ
(રૂપ) છે તે કેવળજ્ઞાનવડે પ્રત્યક્ષ છે.
૨. દ્રવ્યાર્થિક(નય)થી નિત્ય છે.
૩. (આત્મા) પુણ્ય – પાપનો કર્તા છે.
૪. (આત્મા) ભોક્તા પણ છે. (આ પુણ્ય – પાપનું કર્તાભોક્તાપણું)
મિથ્યાદ્રષ્ટિમાં છે. નિશ્ચયનયથી (આત્મા તેનો) કર્તા કે ભોક્તા
નથી.
૫. નિર્વાણ સ્વરૂપ અસ્તિ ધ્રુવ છે. વ્યક્ત નિર્વાણ તે અક્ષય મુક્તિ
છે. અને
૬. (સમ્યગ્) દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. ૧ –
સમ્યક્ત્વના એ ૬૭ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે.
✲ ✲ ✲
✽
જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીનો છ પદનો પત્ર. ૧ તત્ત્વાર્થસૂત્ર ૧ – ૧