પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય[ ૮૯
૩. (ભકિત) – જિનસાધુ (અને) સ્વધર્મીની આદરતા વડે (તેમનો)
મહિમા વધારવો તેને ભક્તિ કહીએ.
૪. (સ્થિરતા) – સમ્યક્ત્વભાવની દ્રઢતા તે સ્થિરતા છે.
૫. (પ્રભાવના) – પૂજા – પ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ
સમ્યક્ત્વનાં છે.
(૪૫ – ૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે ક્યા ક્યા? (તે કહે
છે)ઃ —
૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને
૫. આસ્તિક્ય. તે કહીએ છીએઃ —
૧. (ઉપશમ) – રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે.
૨. (સંવેગ) – નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે.
૩. (નિર્વેદ) – વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે.
૪. (અનુકંપા) – સ્વદયા – પરદયા તે અનુકંપા છે.
૫. (આસ્તિકા) – સ્વરૂપની (તેમ જ) જિનવચનોની પ્રતીતિ તે
આસ્તિક્ય છે.
– એ અનુભવીનાં લક્ષણો છે.
(૫૦ – ૫૫) હવે છ જૈનસાર લખીએ છીએ —
૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, ૫. આલાપ
(અને) ૬. સંલાપ.
૧. (વંદના) – પરતીર્થ, પરદેવ (અને) પરચૈત્ય – તેમને વંદન ન કરે;
૨. (નમસ્કાર) – (તેમની) પૂજા કે નમસ્કાર ન કરે;
૩. (દાન) – (તેમને) દાન ન કરે,
૪. (અનુપ્રયાણ) – અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે,
૫. (આલાપ) – પ્રણતિ સહિત સંભાષણ, તેને આલાપ કહીએ, તે
ન કરે,