Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 88 of 113
PDF/HTML Page 102 of 127

 

background image
૮૮ ]
ચિદ્દવિલાસ
આ આઠ (ભેદો) વડે જિનધર્મનોસ્વરૂપનોપ્રભાવ વધે એમ
કરે. એ અનુભવીનું લક્ષણ છે.
(૩૪૩૯) હવે છ ભાવના કહે છે
૧. મૂળભાવના, ૨. દ્વારભાવના, ૩. પ્રતિષ્ઠાભાવના, ૪. નિધાન-
ભાવના, ૫. આધારભાવના અને ૬. ભાજનભાવના (તેનો ખુલાસો કરે
છે)ઃ
૧. (મૂળભાવના)સમ્યક્ત્વસ્વરૂપઅનુભવ તે સકળ નિજધર્મ-
મૂળશિવમૂળ છે. જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે
એમ ભાવે.
૨. (દ્વારભાવના)ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વદ્વાર છે.
૩. (પ્રતિÌાભાવના)વ્રતતપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી છે.
૪. (નિધાાનભાવના)અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના)નિજગુણોનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના)સર્વે ગુણોનું ભાજન સમ્યક્ત્વ છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
(૪૦
૪૪) હવે સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ લખીએ છીએ
૧. કૌશલ્યતા, ૨. તીર્થસેવા, ૩. ભક્તિ, ૪. સ્થિરતા (અને) ૫.
પ્રભાવના. (તેનો ખુલાસો કરે છે)ઃ
૧. (કૌશલ્યતા)પરમાત્મભક્તિ, પરપરિણામ (અને) પાપ-
પરિત્યાગ(રૂપ) સ્વરૂપ, ભાવસંવર અને શુદ્ધ ભાવપોષક ક્રિયાને
કૌશલ્યતા કહીએ.
૨. (તીર્થસેવા)અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા
કહીએ.
૧. જુઓ, दंसणमूलो धम्मोદર્શનપ્રાભૃત