Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 127

 

background image
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ--
બાળવ્રત અને બાળતપ છે. બાળ જીવોએ બાળપણું (મિથ્યાત્વ) ટાળવા
માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
સમ્યગ્દર્શન તે ‘દર્શનસામાયિક’ છે; અને તે મૂળના આધારે પ્રગટતું
વીતરાગી ચારિત્ર તે ‘ચારિત્ર સામાયિક’ છે. તથા સમ્યગ્દર્શન પોતે
‘મિથ્યાત્વનું પ્રતિક્રમણ’ છે અને વીતરાગી ચારિત્ર તે ‘અસંયમનું
પ્રતિક્રમણ’ છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના હોતું નથી.
સમ્યગ્દર્શન
મૂળ ઉપર ઉગતું શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર-વૃક્ષ (ધર્મ)
છે અને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર વૃક્ષનું ફળ કેવળજ્ઞાન અને સિદ્ધપદ છે.
એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યક્ત્વ છે એમ ભાવના કરવી.
આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની
વિગત અનુક્રમણિકામાં આપી છે.
આ અધ્યાત્મ ગ્રંથ શરૂથી છેવટ સુધી કાળજીપૂર્વક વાંચી તેનો બારિકીથી
અભ્યાસ કરવાની મુમુક્ષુઓને વિનંતી કરી વિરમું છું.
વીરશાસન જયંતી ૨૪૭૬
સોનગઢ, (સૌરાષ્ટ્ર)
[ ૧૦ ]