Chidvilas (Gujarati). Samyktvagunani Pradhanata Samyktvani Chha Bhavana.

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 127

 

background image
સમ્યક્ત્વગુણની પ્રધાાનતા
[૧૪] સમ્યક્ત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨માં) નીચે મુજબ
આપ્યું છે
‘‘સમ્યક્ત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્
આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું અનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય,
યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યક્ત્વ છે કે જ્યાં
વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્
છે.
સમ્યક્ત્વની છ ભાવના
સમ્યગ્દર્શનનું નિશ્ચય સ્વરૂપ તો એક જ પ્રકારે છે, તો પણ તેના
સ્વરૂપનું નિર્મળ જ્ઞાન થવા માટે વ્યવહારે આ ગ્રંથમાં સમ્યક્ત્વના ૬૭
ભેદો કહ્યા છે; તેમાં સમ્યક્ત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા
યોગ્ય હોવાથી નીચે આપ્યું છે
‘૧. (મૂળ ભાવના)સમ્યક્ત્વ સ્વરૂપઅનુભવ તે સકળ નિજધર્મમૂળ-
શિવમૂળ છે, જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે, એમ ભાવે.
૨. (દ્વાર ભાવના)ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વ દ્વાર છે.
૩. (પ્રતિÌા ભાવના)વ્રતતપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી
છે.
૪. (નિધાાનભાવના)અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના)નિજ ગુણનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના)સર્વ ગુણોનું ભાજન (સમ્યક્ત્વ) છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે, તેમ ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. ધર્મનો
અર્થ વીતરાગી ચારિત્ર છે. સમ્યગ્દર્શનરૂપ મૂળ વગરના વ્રત અને તપ તે
[ ૯ ]