Chidvilas (Gujarati). Vyavahar Tatha Nishchay Samyagdarshan Etale Niyat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 127

 

background image
હોવાથી તેને આ ગ્રંથમાં કારણ તરીકે લેવામાં આવ્યું નથી.
વ્યવહાર તથા નિશ્ચય
[૧૦] આ વિષયોનું ઘણું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં આપવામાં આવ્યું
છે (જુઓ પૃ. ૪૬ થી ૫૯). મુમુક્ષુઓએ એ બંને નયોનું સ્વરૂપ જાણવું
જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બંને નયો ઉપાદેય
છે કે તેમાંથી એક ઉપાદેય છે?
તે જાણી શકાય નહિ. નયપ્રમાણદ્વારા
યુક્તિથી શિવ-સાધન થાય છે.
[૧૧] આ સંબંધે પણ જનતામાં, ત્યાગી તેમજ વિદ્વાનોમાં મોટા
ભાગે એવી માન્યતા છે કે બંને નયોના વિષયો ઉપાદેય છે, અને વ્યવહાર
કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિમા, વ્રત, મહાવ્રતરૂપ
વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય)
પ્રગટશે.
તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬મા પાને
નીચેના શબ્દોમાં કહ્યું છે
‘‘વ્યવહારથી પરપરિણતિરૂપ રાગદ્વેષ
મોહક્રોધ
માનમાયા
લોભાદિક (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું
સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.’’
[૧૨] એ પ્રમાણે બંને નયોનું યથાર્થ જ્ઞાન
વ્યવહારને હેય અને
નિશ્ચયને ઉપાદેયગ્રહણ કરવું તે બંને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહારનયના
આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બંને નયોનો નાશ થાય છે.
સમ્યગ્દર્શન એટલે નિયત
[૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન
કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વે દ્રવ્યના પર્યાયો
નિયત હોય છે
એવું યથાર્થ જ્ઞાનસ્વ તરફના પુરુષાર્થ સહિત હોય છે,
તેથી સમ્યગ્દર્શનનું એક નામ ‘નિયત’ છે. (જુઓ પૃ. ૪૯ છેલ્લેથી બીજી
લીટી)
[ ૮ ]