આ અસંપ્રજ્ઞાત સમાધિના ભેદ જાણવા. સાધક અવસ્થામાં કહેવાયેલા
(શબ્દ), જ્ઞાનાદિ ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિના આ તેર ભેદ છે તે પરમાત્મપદ પામવાના સાધક
છે.
આ ગ્રંથમાં પહેલાં તો પરમાત્માનું વર્ણન કર્યું (અને) પછી
પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય દેખાડ્યો. જે પરમાત્માનો અનુભવ
કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે.
આ ગ્રંથ દીપચંદજી સાધર્મીએ કર્યો છે. સાંગાનેરમાં નિવાસ
હતો, (ત્યાંથી) આંબેરમાં આવ્યા ત્યારે આ ગ્રંથ કર્યો. સંવત્
૧૭૭૯ના ફાગણ વદ ૫ ના રોજ આ ગ્રથ પૂર્ણ કર્યો. સંતજનો તેનો
અભ્યાસ કરજો.
(દોહા)
દેવ પરમ મંગળ કરો, પરમ મહાસુખદાય
સેવત શિવપદ પામીએ, હે ત્રિભુવનકે રાય.
એ પ્રમાણે શ્રી સાધર્મી શાહ દીપચંદ કાશલીવાલકૃત
ચિદ્દવિલાસ નામના અધ્યાત્મગ્રંથનો
ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો.
સમાપ્ત
સમાધિનું વર્ણન[ ૧૧૩