Chidvilas (Gujarati). 12. Dharmamegha Samadhi 13. Asampragnyat Samadhi.

< Previous Page   Next Page >


Page 112 of 113
PDF/HTML Page 126 of 127

 

background image
૧૨. ધાર્મમેઘા સમાધિા
હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએઃ
ધર્મ કહેતાં અનંત ગુણ અથવા નિજધર્મઉપયોગ, તેની વિશુદ્ધતા
મેઘની જેમ વધી. જેમ મેઘ વરસે તેમ ઉપયોગમાં આનંદ વધ્યો
વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિ વેદના
થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા; જ્ઞાન
ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય.
બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમા
ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર છે અને તેરમે-ચૌદમે ગુણસ્થાને પરમ
યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમેઘસમાધિ બારમા
ગુણસ્થાને થઈ. કેવળજ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં
સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે,
અંતરાત્મા છે. આને ધર્મમેઘસમાધિ કહીએ.
તેમાં પણ શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ લગાડવા.
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિા
હવે, તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએઃ
જેમાં પરવેદના નથી, નિજને જ વેદે છે, જાણે છે, પરનું
વિસ્મરણ છે, નિજ અવલોકન છેતેને અસંપ્રજ્ઞાત (સમાધિ) કહીએ.
બારમા ગુણસ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડે પરવેદના
મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમા ગુણસ્થાને જ્ઞાન
કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી (
તન્મયપણે) પરનું
જાણપણું નથી; વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયાતેથી એમ કહ્યું
કે આ સમાધિ ચારિત્ર વિવક્ષામાં બારમા ગુણસ્થાનના અંતે છે. કેવળ
(જ્ઞાન)માં વ્યક્ત છે, ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે.
૧૧૨ ]
ચિદ્દવિલાસ