Chidvilas (Gujarati). 11. Vivekakhyati Samadhi.

< Previous Page   Next Page >


Page 111 of 113
PDF/HTML Page 125 of 127

 

background image
પરમાત્મદશા નજીકમાં નજીક છે. પરમ વિવેક થવાનું...સોપાન છે.
માન વિકાર ગયો ને વિમળ ચારિત્રનો ખેલ થયો, મનની મમતા મટી
ને સ્વરૂપમાં એવો હળી
મળી એકમેક થઈ ગયો કે તે આનંદ
કેવળીગમ્ય છે, ત્યાં સમાધિમાં સુખના કલ્લોલ ઊઠે છે; દુઃખની
ઉપાધિ મટી ગઈ છે, આનંદ-ઘરમાં પહોંચી ગયો છે, રાજ્ય કરવાનું
રહ્યું છે, તો હમણાં રાજ્યનો કળશાભિષેક થશે, કેવળજ્ઞાનરૂપી
રાજ્યમુકુટ કિનારે ધર્યો છે, સમય નજીક છે, હમણાં જ શિર ઉપર
કેવળજ્ઞાન મુકુટ ધારણ કરશે
આ નિરસ્મિતા
અનુગત સમાધિ છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
૧૧. વિવેકખ્યાતિ સમાધિા
હવે, વિવેકખ્યાતિ સમાધિ કહીએ છીએઃ
પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કહેતાં જુદો જુદો ભેદ જાણવો
તેને વિવેક કહીએ. બીજા ભેદ મટ્યા અને શુદ્ધ ચિદ્પરિણતિ (તથા)
ચૈતન્ય પુરુષ એ બંનેની પ્રતીતિ (પૂર્વક) જ્ઞાનમાં વિવેક થયો. ચિદ્
પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે, ઉત્પાદ-વ્યય
કરે છે, ષટ્ગુણી
વૃદ્ધિહાનિ લક્ષણ છે, વસ્તુને વેદીને તે આનંદ
ઉપજાવે છે. જેમ સમુદ્રમાં તરંગ ઊપજે તે સમુદ્રભાવને જણાવે છે
તેમ (ચિદ્ પરિણતિ) સ્વરૂપને જણાવે છે. સકળ
સર્વસ્વ પરિણતિને
પ્રકૃતિ કહીએ અને પુરુષ કહેતાં પરમાત્મા, તેમાંથી પ્રકૃતિ ઊપજે છે.
જેમ સમુદ્રમાંથી તરંગ ઊપજે છે તેમ. પુરુષને અનંતગુણધામ,
ચિદાનંદ, પરમેશ્વર કહીએ. તે બંનેનું જ્ઞાનમાં જાણપણું થયું, પણ
પ્રત્યક્ષ ન થયું વેદ્યવેદકમાં પ્રત્યક્ષ છે પણ સંપૂર્ણ કેવળજ્ઞાન જેવું
પ્રત્યક્ષ નથી તેથી સાધક છે, થોડા જ કાળમાં પરમાત્મા થશે
આને
વિવેકખ્યાતિ સમાધિ કહીએ.
શબ્દ, અર્થ અને જ્ઞાન એવા ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિનું વર્ણન[ ૧૧૧