Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 113
PDF/HTML Page 22 of 127

 

background image
૮ ]
ચિદ્દવિલાસ
(૨) કેવળ સત્તાલક્ષણસાપેક્ષ, અન્યગુણનિરપેક્ષ લઈએ ત્યારે (સત્તા)
જ્ઞાનરૂપ નથી. (સ્યાત્ નાસ્તિ).
(૩) બંને વિવક્ષાઓમાં (સત્તા કથંચિત્) જ્ઞાનરૂપ છે, નથી. (સ્યાત્
અસ્તિનાસ્તિ).
(૪) (સત્તાનો) અનંત મહિમા વચનગોચર નથી તેથી અવક્તવ્ય છે.
[અથવા સત્તા જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ નથી એવા બંને પ્રકાર
એકસાથે કહી શકાતા નથી માટે સ્યાત્ અવક્તવ્ય છે.] (સ્યાત્
અવક્તવ્ય).
(૫) ‘(સત્તા) જ્ઞાનરૂપ છે’ એમ કહેતાં ‘(સત્તા જ્ઞાનરૂપ) નથી’ એવા
ભંગનું કથન બાકી રહી જાય છે તેથી સત્તા જ્ઞાનરૂપ છે; પરંતુ
અવક્તવ્ય છે. (સ્યાત્ અસ્તિ અવક્તવ્ય)
(૬) ‘(સત્તા) જ્ઞાનરૂપ નથી’ એમ કહેતાં ‘(સત્તા) જ્ઞાનરૂપ છે’ એવા
ભંગનું કથન બાકી રહી જાય છે તેથી (સત્તા જ્ઞાનરૂપ નથી અને)
અવક્તવ્ય છે. (સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય)
(૭) અસ્તિનાસ્તિ બંને ભંગ એક સાથે કહી શકાતા નથી તેથી (સત્તા
જ્ઞાનરૂપ છેજ્ઞાનરૂપ નથી ને) અવક્તવ્ય છે (સ્યાત્ અસ્તિનાસ્તિ
અવક્તવ્ય).
આ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ જ્ઞાન સાથે સધાય છે.
એ જ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ દર્શન સાથે સાધવા; તથા
એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે
(સાધવા) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ
ત્યારે (સત્તામાં) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ
વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંત વાર સાત
ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે
અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે.